________________
૧૩૮
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ સમભિરૂઢ નયને શિખામણ
જો શબ્દપરિણામથી ઘટ-કુટ-કુંભાદિ પર્યાયશબ્દોના અર્થભેદને તું માને છે તો નિશ્ચેષ્ટ છતાં ઘટશબ્દથી અભિધેય અર્થ તેને ઘટ તરીકે કઈ રીતે માન્ય છે? એમાં ઘટનાત્ ઘટ એવા શબ્દાર્થનો જ અભાવ છે. અથવા તને વસ્તુનો સંક્રમ ઇષ્ટ નથી તો ચેષ્ટાવાળા ભાવઘટની નિષ્યષ્ટતાથી ચેષ્ટારહિત દ્રવ્યઘટમાં ઘટશબ્દની પ્રવૃત્તિથી સંક્રમણ થાય છે તે ઉચિત જ નથી. જો ચેષ્ટાવાળો પણ નિશ્ચષ્ટ અર્થમાં સંક્રાંત થતો માને તો તારે માત્ર સમય બગાડવા જેવું જ છે. અને એમાં વઘુ સંક્રમણ (ગા.૨૧૮૫) એ રીતે કરેલી તારી પ્રતિજ્ઞાનો ભંગ થાય છે.
મતભેદ - જીવે છે પન્દ્રિયાન વિવિધૃવત્ત રોચ્છવાસ-નિ:શ્વાસમાન્યતા: પ્રાણા તે માવદ્વિરિષ્ટ તેષાં વિયોવર | હિંસા એ પ્રસિદ્ધવચનથી દશપ્રકારના પ્રાણોને ધારણ કરે તે જીવ. એ શબ્દાર્થ વશથી જીવતો દશવિધપ્રાણોને ધારણ કરતો જ આ નયના મતે જીવ કહેવાય છે, તે સામર્થ્યથી દશવિધપ્રાણાનુભવવાળો જીવ નરકાદિ સંસારી જ હોય છે. આ નયના મતે સિદ્ધનો જીવ-અસુમાન-પ્રાણી એવા શબ્દોથી વ્યપદેશ થતો નથી. કારણ કે જીવનાદિ પરિણામ રહિત છે પણ સત્તાયોગથી સત્ત્વ, અતિ તિ માત્મા છતિ જ્ઞાન-દર્શનસુખ આદિ પર્યાયોને પામે છે તે આત્મા. એ રીતના શબ્દોથી જ નિર્દેશ કરાય છે.
જે પણ દેશ-દેશીના એકત્વને સમર્થન કરતા એવા સમભિરૂઢે દેશદેશીચ કહ્યું તે બરાબર નથી. જો દેશી જ દેશ અને દેશ જ દેશીમાનો તો એ બંને પર્યાયવચન જ થયા. જેમ વૃક્ષ-પાઇપ વગેરેથી પર્યાય વચનતા તેમ દેશી-દેશની પણ છે તેથી જેમ વૃક્ષ-પાદપ એમ એ કાર્ય શબ્દપ્રયોગમાં પુનરૂક્તિ છે તેમ અહીં પણ થશે. તેમજ એકથી જ બીજો શબ્દાર્થ પ્રતિપાદિત હોવાથી બીજા શબ્દનો પ્રયોગ વ્યર્થ થાય. તથા દેશનો દેશમાં અને દેશીનો દેશમાં અંતર્ભાવ થવાથી વસ્તુસંક્રમ પણ થાય. એ તને ઈષ્ટ નથી તેથી, દેશ-દેશીનું એકત્વ નથી, તે બંનેનો ભેદ પક્ષ તો તે પણ નિરાસ કર્યો છે.
હવે દેશીથી દેશ ભિન્ન છે તો પહેલાની તારી યુક્તિથી જ તે દેશીનો એ દેશ થતો નથી એ યાદ કર. વસ્તુસંક્રમાદિ દોષના ભયથી દેશી જ દેશ ન માનવો એ હમણાં જ કહ્યું, એમ પ્રદેશી પ્રદેશ એ પણ ન માનવું કેમકે તે માન્યતામાં પણ ઉપરના જ દોષો આવે છે. તેથી દેશીમાત્ર અને પ્રદેશમાત્ર અખંડવસ્તુ માનવી પણ પણ દેશ-પ્રદેશની કલ્પના ન કરવી. તે બંનેના ભેદ કે અભેદમાં કહેલા દોષો આવે છે. એટલે એ મતે દરેક વસ્તુ પ્રત્યેક અખંડ હોવાથી. પદોનો કર્મધારય પણ થતો નથી.
પ્રશ્ન-૯૩૫ – દેશને જણાવવા માટે નો દેશી એવો પ્રયોગ કરાય છે અર્થાતુ નો શબ્દ એકદેશવાચી છે અને દેશનો એકદેશભૂત દેશ જ છે તેનાથી ભિન્ન નથી એમ કહીશું તો?