________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૨૯
પરમાળવ: વૈશેષિકો એવું માને છે. તેથી તુલ્યાકૃતિ એવા પણ સર્વ પરમાણુંઓમાં ‘ભિન્ન છે અભિન્ન નથી' એવી જે પરસ્પર અન્યત્વગ્રાહી યોગીઓની બુદ્ધિ ઉત્પન્ન થાય છે. તેના હેતુભૂત પરમાણુદ્રવ્યવર્તી અન્ય વિશેષ કહેવાય છે. કારણ કે, પ્રથમ અણુમાં જેવા વિશેષો છે તેવા જ બીજામાં નથી અને બીજામાં છે એવા પહેલામાં નથી. નહિતો એકત્વની આપત્તિ આવે.
બધા પાર્થિવ અણુઓ પરસ્પર તુલ્યગુણવાળા છે, તથા અગ્નિનું ઉર્ધ્વજ્વલન, વાયુનું તિર્યગ્ગમન એમ સર્વ અણુઓ તુલ્ય ક્રિયાવાળા તથા એક આકાશ પ્રદેશથી જ્યારે એક પરમાણુ સ્થિતિક્ષયથી અન્યત્ર જાય છે અને ત્યાંજ અન્ય પરમાણુ સ્થિતિ ઉદ્ભવથી તે જ આકાશ પ્રદેશમાં આવીને રહે છે. તે એકદેશમાંથી અતીતાગતપણું થાય છે. એથી વૈશેષિક પ્રક્રિયાથી તુલ્ય-આકૃતિ, ગુણ, ક્રિયા અને એક પ્રદેશ અતીતાગત પરમાણુ દ્રવ્યોમાં જે અન્યત્વ બુદ્ધિનું કારણ તે અન્ત્ય-વિશેષ છે અને તે જ આકૃતિ આદિથી સમાન પરમાણુઓમાં અસમાન બુદ્ધિનો હેતુ હોવાથી અણુઓથી ભિન્ન છે. એવો ગમનો મત છે.
પ્રશ્ન-૯૩૦ તે પછી જે સામાન્ય તે દ્રવ્ય અને વિશેષો તે પર્યાયો તેથી દ્રવ્યપર્યાયાસ્તિકનયમત અવલંબી હોવાથી આ નૈગમનય સમ્યગ્દષ્ટિ જ છે ને ? જૈન સાધુ જેમ. કેમકે તેઓ પણ દ્રવ્ય-પર્યાયોભયરૂપ વસ્તુથી અન્ય કાંઈ ઇચ્છતા નથી તો એ મિથ્યાત્વનો ભેદ કઈ રીતે ?
--
ઉત્તર-૯૩૦ કારણ કે નૈગમનય તો સામાન્ય-વિશેષને વસ્તુથી પરસ્પર અને સ્વઆધારથી ભિન્ન માને છે. એટલે એ કણાદવત્ મિથ્યાર્દષ્ટિ જ છે. જેમકે-બે દ્રવ્યપર્યાયાસ્તિકનયો દ્વારા સર્વે નિજ શાસ્ત્ર ઉલૂકે સમર્થિત કર્યું છે. છતાં મિથ્યાત્વ જ છે કારણ કે, સ્વસ્વવિષયપ્રાધાન્યથી સ્વીકારથી ઉલૂકના અભિપ્રેત દ્રવ્ય-પર્યાયાસ્તિકનયો પરસ્પર નિરપેક્ષ છે. અને જૈન માન્ય તે બંને સ્માત્ પદથી અંક્તિ હોવાથી. પરસ્પર સાપેક્ષ છે.
ભાગ-૨/૧૦
-
જો ગૌ-ગૌ વગેરે સામાન્યબુદ્ધિ-વચન હેતુ છે એમ માનીને તું સામાન્ય કહે છે તો પરમાણુગત અંત્યવિશેષ પણ વિશેષ વિશેષ એવી અપર સામાન્ય બુદ્ધિ-વચન હેતુ હોવાથી સામાન્ય થાય છે. વિશેષમાં સામાન્ય નથી. માત્ર દ્રવ્ય-ગુણ-કર્મમાં જ તેની વૃત્તિ માનેલી છે. અથવા સામાન્ય સામાન્ય એવી બુદ્ધિવચનની પ્રવૃત્તિથી ગોત્વ-ગજત્વાદિ સામાન્યોમાં પણ સામાન્ય થાય છે. “નિઃસામાન્યાનિ સામાન્યાનિ” એ નિયમથી સામાન્યોમાં સામાન્ય ન હોય. એ રીતે વિશેષ પણ સામાન્ય થાય છે. તો એ બંનેમાં ભેદ શું રહ્યો ? કાંઈ નહિ અને સામાન્ય પણ વિશેષ બની શકે છે-જેમકે જે વસ્તુથી બુદ્ધિ-વચન વિશિષ્ટ થાય તે વિશેષ કહેવાય. તેથી જોકે ૫૨ અને અપર સત્તા-ગોત્વાદિ સામાન્ય છે તે પણ વિશેષ થાય છે. કારણ