________________
૧૨૮
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ તે માત્ર સામાન્યવાદી હોવાથી અશુદ્ધ છે. ગોત્વ-ગજત્વાદિ સામાન્ય વિશેષવાળો બીજો શુદ્ધાશુદ્ધ ભેદ છે અને વિશેષવાદી ત્રીજો ભેદ સર્વથા વિશુદ્ધ છે. તે નિલયન અને પ્રકાદિના ઉદાહરણથી સમજવો.
સીમા સુધી જેની જમીન હોય તે ગ્રામ અથવા પ્રજાસહિત-ઘર-બગીચા-દેવાલયાદિ રૂપ જે કિલ્લા સુધીનો ભાગ તે ગ્રામ. અથવા માત્ર પ્રજાનો સમૂહ તે ગ્રામ. અથવા કોઈ મુખ્ય પુરુષ હોય તે ગ્રામ. આ સર્વ પ્રકારોને નૈગમનય ગ્રામ માને છે.
નૈગમ નય સામાન્ય-વિશેષ બંનેને પરસ્પર ભિન્ન માને છે તેની પુષ્ટિમાં કહે છે – “સ” એટલે “વિદ્યમાન છે' એવી સામાન્ય બુદ્ધિ અને સામાન્ય વચનનો હેતુ હોવાથી સામાન્ય જે છે તે વિશેષથી ભિન્ન જ છે. તથા નિત્યદ્રવ્યમાં રહેલ અંત્યવિશેષ પણ સામાન્યથી ભિન્ન છે કેમકે “વિશેષ વિશેષ’ એવી બુદ્ધિ અને વચનનો વિશેષ એ જ હેતુ છે, આમ બંને ભિન્ન-ભિન્ન કાર્યવાળા હોવાથી અત્યંત જુદા છે.
અહીં બીજો એક વિશેષ પણ જાણવો. તે પરસ્પર ભિન્ન એવા સામાન્ય-વિશેષ માને છે એટલું જ નહિ પરંતુ સ્વાશ્રય ગાય-પરમાણુ આદિ-સામાન્યનો આશ્રય ગાય વિશેષનો આશ્રય, પરમાણુથી પણ સામાન્ય-વિશેષને ભિન્ન જ એ માને છે. (૧) સામાન્ય - દ્રવ્ય-TO
મૈસુ સા સા અર્થાત્ દ્રવ્ય-ગુણ-કર્મમાં સત્તા છે. સત્તાસમવાયથી જ પરસ્પર વિલક્ષણ એવા દ્રવ્ય-ગુણ-ક્રમમાં સત્ એવી બુદ્ધિ થાય છે. એટલે સત્ કહેતાં દ્રવ્યાદિથી ભિન્ન જ સામાન્ય માને છે. જેમકે-જો સત્તા સામાન્ય દ્રવ્યાદિથી અભિન્ન હોય તો દ્રવ્યાદિ જેમ તે પણ ભિન્ન હોઈ સર્વત્ર સતુ એવી અભિન્ન બુદ્ધિ ન થાય, જો ભિન્નથી અભિન્ન બુદ્ધિ થાય તો ઘટ-ખંભાદિથી પણ થવાથી આપત્તિ આવે. તેથી ભિન્નથી અભિન્નબુદ્ધિની અન્યથાનુપપત્તિ હોવાથી સતબુદ્ધિ કરાવનાર સામાન્ય એ દ્રવ્યાદિથી ભિન્ન જ છે. પ્રશ્ન-૯૨૯ - તો પછી ગોવાદિ સામાન્ય કઈ રીતે?
ઉત્તર-૯૨૯ - ગોત્વ-ગજત્વાદિ તો ગો-ગજાદિ આશ્રયવૃતિ સામાન્ય-વિશેષનામ સમજવા. કારણ કે નિજઆધાર એવા ગો-ગજાદિમાં અનુગત બુદ્ધિથી સામાન્યનામ અને પરત-તુરગ-મહિષાદિમાં નિવૃત્તિથી વિશેષનામ. તે ગોવાદિ પણ ભિન્નમાં અભિન્નબુદ્ધિ હેતુ હોવાથી સ્વાશ્રયથી ભિન્ન જ એના મતે માનવા.
(૨) વિશેષ:- તુલ્ય આકૃતિ-ગુણ-ક્રિયાવાળા એક દેશથી અતીત-આગત એવા પરમાણું દ્રવ્યમાં આ એનાથી અન્ય પરમાણું એવી યોગીઓની અન્યત્વબુદ્ધિનું જ કારણ-હેતુ થાય છે. તે અત્ય-વિશેષ એવો નૈગમમો અભિપ્રાય છે. કહેવાય છે. પરિમડુત સંસ્થાના: સર્વેપિ