________________
૧૨૪
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
(૪) ઉભયપદઅવ્યાહત :- જીવ સચેતન જીવ નિયમા સચેતન અને સચેતન નિયમો જીવ હોય એટલે નિયમ નિયમ નામનો ચોથો ભાંગો થયો.
(૮) નાના– લક્ષણ - નાનાત્વ-વસ્તુઓની પરસ્પર ભિન્નતા-વિશેષ, તે વિશેષ દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવોથી અસમાન સંખ્યાઓનો જાણવો, અને દ્રવ્યાદિથી સમાન સંખ્યાઓનો અવિશેષ છે. ઉદાહરણ :- જેમ દ્રવ્ય સંખ્યાથી અસમાન પરમાણુ અને લયણુંકોનો, કયણુક ત્રણકોનો, ચણક-ચતુરણકોનો ચતુરણુક પંચાણકોનો આ રીતે દ્રવ્ય સંખ્યાથી અસમાનોનો પરસ્પર તફાવત જાણવો. તે જ રીતે ક્ષેત્ર-કાલ-ભાવ સંખ્યાથી અસમાનો તેમના પ્રભેદોનું પણ પરસ્પર નાનાત્વ જાણવું. જેમકે એક પ્રદેશાવગાઢ-દ્ધિઆદિ પ્રવેશવગાઢ, એક સમય સ્થિતિક-યાદિસમય સ્થિતિક, એક ગુણ કાલાદિ-દ્વિગુણ કાલાદિનો પરસ્પર તફાવત જાણવો. વળી ઉપલક્ષણથી વિશેષ જાણવું કે દ્રવ્યથી સમાન સંખ્યાવાળા પરમાણુ આદિનો પણ ક્ષેત્ર-કાળ અને ભાવની સાથે તફાવત છે. એ જ રીતે સમાન સંખ્યાવાળા એકાદિ પ્રદેશાવગાહીનો અન્ય ક્ષેત્રાવગાહી પ્રદેશોની સાથે દ્રવ્ય-કાળ-ભાવથી તફાવત છે. સમાન સંખ્યાક છતાં એકસમયાદિ સ્થિતિવાળાનો અન્ય સમય સ્થિતિવાળાની સાથે દ્રવ્ય-ક્ષેત્ર-ભાવ વડે તફાવત છે. સમાન સ્થિતિવાળા કૃષ્ણાદિ એક ગુણવાળાનો વર્ણગંધાદિ ગુણોની સાથે દ્રવ્ય-ક્ષેત્ર અને કાળ વડે તફાવત છે.
(૯) નિમિત્તલક્ષણ - જેનાથી શુભા-શુભ જણાય તે નિમિત્ત તે આઠ પ્રકારે –મોसुमिणं-तलिक्खं दिव्वं-अंगसरलक्खणं तह य । वंजणमट्टविहं खलु निमित्तमेवं મુળયઘં .
ભૂમિ સંબંધી, સ્વપ્ન, અંતરિક્ષ, દેવ, અંગ, સ્વર, લક્ષણ અને વ્યંજન સંબંધી આ આઠે પ્રકારનું અતીત-વર્તમાન અને અનાગત એમ ત્રણે કાળ સંબંધી નિમિત્ત છે.
(૧૦) ઉત્પાદ-વિગમ લક્ષણ - ઉત્પન્ન થતી વસ્તુઓનો ઉત્પાદ એ તે પદાર્થનું લક્ષણ છે. એ રીતે વિગમ એટલે નાશ તે પણ નાશ પામતી વસ્તુઓનું લક્ષણ છે.
પ્રશ્ન-૯૨૪ – ઉત્પાદ તો વસ્તુનું લક્ષણ જણાય છે પરંતુ, વિગત-વિનાશ કઈ રીતે વસ્તુલક્ષણ થાય ?
ઉત્તર-૯૨૪ - જેમ ઉત્પાદથી વસ્તુ જણાય છે તેમ વિનાશથી પણ જણાય જ છે. જેમ ઉત્પાદ વિના વસ્તુનો સંભવ નથી તેમ વિનાશ વિના પણ વસ્તુનો સંભવ નથી. માટીનું પૂર્વ રૂપ વિનષ્ટ થયા વિના ઘટનો સંભવ નથી, એટલે વિગમ પણ તેના સંભવનો હેતુ હોવાથી વસ્તુનું લક્ષણ છે.