________________
૧ ૨૨.
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
(૪) સાદૃશ્ય - બે વગેરે વસ્તુઓનું તુલ્ય આકાર દર્શન-સાદશ્ય. એ પણ સામાન્યથી દ્રવ્યલક્ષણ જ છે. વિશેષથી સાદશ્યલક્ષણ કહેવાય છે. ઉદાહરણ – જેમ કોઈ દેખાતા ઘટના સમાન આકારવાળા બીજા પણ બધા ઘટ, એ રીતે સર્વ મૂર્તવસ્તુઓમાં જેનું જેનાથી સાદશ્ય ઘટે તે બધું સાદશ્યલક્ષણ.
(૫) સામાન્ય લક્ષણ - ૨ પ્રકારે (૧) અર્પિત (વિશિષ્ટ) (૨) અનર્પિત, (અવિશિષ્ટ)
અનર્મિત-અવિશિષ્ટ-સામાન્ય જેમ સિદ્ધ બધા અન્ય સર્વસિદ્ધના સત્ત્વ-દ્રવ્યત્વ-પ્રમેયત્વઅમૂર્તત્વ-ક્ષીણકર્મ7-અનાબાધત્વ-સિદ્ધત્વાદિ સમાનધર્મોથી તુલ્ય હોય છે.
અર્પિત-વિશેષિત એક-બે-ત્રણ વગેરે સમયે સિદ્ધ તરીકે અર્પિત સિદ્ધ તે જ એક-બે-ત્રણ વગેરે સમાન સમય સિદ્ધ એવા સિદ્ધના તુલ્ય શેષ અસમાન સમયસિદ્ધના અતુલ્ય અસમાન.
પ્રશ્ન-૯૨૩ – એક જ સિદ્ધ સિદ્ધાંતોથી તુલ્ય-અતુલ્ય કઈ રીતે થાય?
ઉત્તર-૯૨૩ – સામાન્યરૂપ-વિશેષરૂપ ધર્મના લીધે. એ જે ધર્મોથી તુલ્ય છે એ જ ધર્મોથી અતુલ્ય નથી કે જેથી વિરોધ થાય. પરંતુ સમાન ધર્મોથી તુલ્ય અને વિશેષધર્મોથી અતુલ્ય છે. એક સિદ્ધનું જે બીજા સિદ્ધ સાથે સમાનત્વ છે તે સામાન્ય લક્ષણ.
(૬) આકાર લક્ષણ :- આક્રિયત-જણાય છે ઇચ્છિત વસ્તુ જેનાથી તે આકાર. બાહ્ય ચેષ્ટારૂપ. જેમકે રાજાદિની આહારાદિ ઇચ્છા હાથ-મુખ-નેત્રાદિ સંજ્ઞાથી દેખાય છે. કહ્યું છે. आकारैरिङ्गितैर्गत्या चेष्टया भाषितेन च । नेत्र-वक्त्रविकारैश्चलक्ष्यतेऽन्तर्गतं मनः ॥
(૭) ગતિ-આગતિ લક્ષણ - પરસ્પર બે બે પદની વિશેષણ-વિશેષ્ય તરીકે અનુકૂળતાએ ગતિ, જેમ નીવો ! મસ્ત ! ટેવ એમ જીવને અનુલક્ષીને દેવત્વ પૂછાય છે. અહીં જીવપદથી દેવપદમાં અનુકૂળતાથી યથાસ્થિતિથી ગતિ છે, તેમ પ્રતિકૂળતાથી આગમન આગતિ તેવો નવ: ? અહીં દેવને અનુલક્ષીને જીવત્વ પૂછાય છે. એમ અહીં પ્રત્યાવૃત્તિથી (Reverse) દેવપદમાંથી જીવપદમાં આગતિ છે. ગતિ-આગતિ દ્વારા અથવા તરૂપ જે લક્ષણ તે ગત્યાગતિ લક્ષણ કહેવાય છે તે ૪ પ્રકારે છે (૧) પૂર્વપદવ્યાહત (૨) ઉત્તરપદવ્યાહત (૩). ઉભયપદવ્યાહત (૪) ઉભયપદ અવ્યાહત.
(૧) પૂર્વપદવ્યાહત - ત્યાં નીવે મને ! સેવે, તે નીવે !ાજયમાં ! નીવે સિય રે, સિય નો , રેલ્વે પુઈ નિયમ નીવે' એમ ભગવાનના વચનથી જીવ દેવ એમ વિશેષણ વિશેષ્યભૂત બે પદમાં જીવ પદ દેવત્વમાં વ્યભિચરિત પણ થાય છે, કેમકે જીવ દેવ અને અદેવ-નારકાદિ દેખાય છે. અને દેવ શું જીવ છે ? એ પ્રત્યાવૃત્તિમાં દેવ જીવત્વમાં