________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
સમ્યગ્દર્શન-જ્ઞાન-સંયમ. અહીં સામાયિક વિચારાતાં પ્રશસ્ત ભાવ કારણથી અધિકાર છે. સામાયિકાધ્યયન ક્ષાયોપÅમિકભાવરૂપ છે, તે પ્રશસ્ત હોવાથી મોક્ષનું કારણ છે.
૧૧૮
પ્રશ્ન-૯૧૫ – તીર્થંકર શા કારણે સામાયિક અને અન્ય અધ્યયનો કરે છે ? કેલવજ્ઞાનની ઉત્પત્તિથી તે કૃતકૃત્ય હોવાથી તેમને બોલવાની શું જરૂર ?
ઉત્તર-૯૧૫ – મેં પહેલાં તીર્થંકર નામ કર્મ બાંધ્યું છે તે અત્યારે આ રીતે વેદવું જોઈએ એ કારણે તે બોલે છે.
પ્રશ્ન-૯૧૬ · પણ તે બંધાયેલું તીર્થંકરનામકર્મ કઈ રીતે વેદે છે ?
ઉત્તર-૯૧૬ ગ્લાનિ રહિત ધર્મદેશનાદિથી વેદે છે. તે તીર્થંકર નામકર્મ તીર્થંકર બનનારને જ બંધાય છે. અને તે સિદ્ધ થવાના ભવથી પૂર્વના ત્રીજા ભવે બાંધે છે એ બંધાતા સંસારના ત્રણ ભવ જ બાકી રહે છે. અને તે માત્ર નિયમા મનુષ્યગતિમાં જ પ્રારંભને આશ્રયીને સમ્યગ્દષ્ટિ મનુષ્ય બાંધે છે અને તે પણ પાછો સ્ત્રી-પુ.નવું વેદી, સમ્યગ્દર્શનાદિ શુભ ગુણવાળો હોઈ શુભ લેશ્યાવાળો મહંત-સિદ્ધ-પત્રયળ (આ.નિ.પુ.૨૮)માં કહેલા બહુતર ૨૦ કે તેમાંથી ૧-૨-૩ અથવા સર્વ વગેરે સ્થાનોકને સેવવા દ્વારા તીર્થંકર નામ કર્મ બાંધે છે.
તીર્થંકરનું સામાયિક અધ્યયન કહેવાનું કારણ કહીને હવે ગણધરોનું આશંકા દ્વા૨થી તેના શ્રવણનું કારણ જણાવે છે.
ગૌતમાદિ ગણધરો શા નિમિત્તે સામાયિક સાંભળે છે ?
પ્રશ્ન-૯૧૭
ઉત્તર-૯૧૭ જ્ઞાન માટે, તે પ્રભુના મુખમાંથી નીકળેલ સામાયિક સાંભળી તદર્થ વિષય જ્ઞાન ઉત્પન્ન થાય છે. તે જ્ઞાન શુભ-અશુભ પદાર્થોની પ્રાપ્તિ માટે નિમિત્ત બને છે. તે પદાર્થોથી ઉપલબ્ધિથી શુભમાં પ્રવૃત્તિ અને અશુભથી નિવૃત્તિ થાય છે. તે નિવૃત્તિ-પ્રવૃત્તિ સંયમ-તપનું કારણ થાય છે. તે બંનેથી પાપકર્મનું અગ્રહણ અને કર્મવિવેક-નિર્જરારૂપ યથાસંખ્ય કારણ બને છે. અને તે કવિવેકના કારણે અશરીરતા-મોક્ષ છે. અશરીરતા અનાબાધતાનું કારણ છે તેનાથી વેદના વગરનો જીવ થાય છે, અવેદનાથી અવ્યાકુળ, તેનાથી નિરોગી, તેનાથી અચલ, અચલતાથી તે જ મુક્તિ ક્ષેત્રમાં શાશ્વત-નિત્ય થાય છે. તેનાથી અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરે છે. આમ સામાયિકનું શ્રવણ પરંપરાએ અવ્યાબાધ મુક્તિ સુખનું નિમિત્ત સિદ્ધ થાય છે એટલે સાંભળે છે.
-