________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૦૭ વધે છે. રાત્રિમાં આજ રીતે ઘટતા સર્વ હીન રાત્રિમાં ૬ મુહૂર્તો ઘટે છે. એમ દક્ષિણાયનમાં દિવસે ૬ મુહૂર્ત ઘટે છે રાત્રિમાં આજ રીતે વધતા સર્વ હીન રાત્રિમાં ૬ મુહૂર્તા વધે છે આ રીતે ૬-૬ માસે દિવસ-રાત્રિના યથાયોગ્ય ૬ મુહૂર્ત વધ-ઘટ ૧ માસે ૧ મુહૂર્તની વૃદ્ધિ હાનિ, સૂર્યવર્ષ-૩૬૬ દિવસે થાય છે તેથી ૧ અયન ૧૮૩ દિવસ પસાર થાય છે ૧ માસમાં સૂર્ય સંબંધિ ૩૦૧/૨ દિવસો હોય છે. માસમાં જે મુહૂર્ત વધે છે તેનો આ ૩૦૧/૨ દિવસ સાથે ભાગ કરતાં મુહૂર્ત=રઘડી એટલે ૧-૧ ઘડીના ૬૧ ભાગો કલ્પાય છે એટલે ૨ ઘડી=૧૨૨ ભાગો અને ૩૦૧/૨ દિવસના માસમાં રાત્રિ-દિન પરિષી પણ પ્રત્યેક ૧૨૨ થાય છે એટલે આ ૧૨૨/૧૨૨=૧ આ રીતે દરેક પોરિષીએ ૧/૬૧ ઘડી ઓછી-વધતી રાત્રિ-દિવસમાં યથાયોગ્ય થાય છે. ઉત્કૃષ્ટ બીજી રીતે ૯ ઘડી પ્રમાણ પોરિષી, જઘન્ય ૬ ઘડી, આ જઘન્યઉત્કૃષ્ટ પરિષી વચ્ચે જે ૩ ઘડીનું આંતરૂ છે. તે અયનમાં રહેલા ૧૮૩થી ભાંગતાં પ્રતિદિન પોરિષીની વૃદ્ધિ અને હાનિ જાણવી. જયારે ૧૮૩ દિવસે ૩ ઘડી પોરિષીની વધે કે ઘટે તો પ્રતિદિન શું વધ-ઘટ થાય? આ જિજ્ઞાસામાં ૩ ઘડીના ૧૮૩થી ભાગ કરતાં એક ઘડી ૬૧ ભાગ કરાય છે તેથી ૬૧૪૩=૧૮૩ તેનો ૧૮૩ દિવસથી ભાગ કરતાં રોજ ૧/૬૧ ઘડી વૃદ્ધિ-હાનિમાં પ્રાપ્ત થાય છે આ ૬૧મો ભાગ મુહૂર્તના ૧૨૨ ભાગ રૂપ હોય છે.
(૮) વર્ણકાળઃ- જે કાળો વર્ણ તે વર્ણકાળ કહેવાય છે. અથવા જે કોઈ જીવાદિ પદાર્થનું જે કાળે વર્ણન કરાય તે વર્ણકાળ કહેવાય. અથવા જે કાળે શ્વેતાદિ વર્ણની પ્રરૂપણા કરાય તે પણ વર્ણકાળ કહેવાય. જેમ દ્રવ્યનું કલન કાળ દ્રવ્યકાળ પહેલા કહ્યો તેમ પર્યાયોનું કલન કાળ પણ જાણવું. એટલે આ વર્ણકાળ પર્યાયકાળભેદ પણ કહેવાય છે. તેથી કૃષ્ણવર્ણ દ્રવ્યનો પર્યાય હોવાથી એ વર્ણકાળ પર્યાયકાળનો ભેદ જ માનવો.
પ્રશ્ન-૮૯૬ - જો પર્યાયકાળ પણ કોઈ છે તો રાત્રે સદ્ધ મહીડા (ગા. ૨૦૩૦) માં કેમ ન જણાવ્યું?
ઉત્તર-૮૯૬ – સાચું, પણ દ્રવ્યથી પર્યાયો કથંચિત અભિન્ન હોઈ દ્રવ્યકાળ કહેવાના દ્વારથી જ કહેલું હોવાથી અલગ કહ્યું નથી, અથવા તેના ભેદરૂપ વર્ણકાળ કહેવાથી તે કહેલો જ જાણવો.
પ્રશ્ન-૮૯૭ – કૃષ્ણવર્ણ નામથી જ કાળો કહેવાય છે તો એને નામકાળ તરીકે કેમ ન કહેવો?
ઉત્તર-૮૯૭ – એનો કોઈ નિયમ નથી તે કાળનામ સંકેતવશ ગોરામાં પણ વિદ્યમાન હોવાથી અનિયત છે. એટલે બીજાથી ભેદ જણાવવા માટે વર્ષ વ વાતઃ વર્ણકાળ તે અહીં કહેવાય છે એટલે જ નામ કાળથી એનો ભેદ છે.