________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
૧૧૪
ભેદ છે તેવી નામાદિ ભેદથી ભિન્ન હોવાથી ઘટ અને પટની જેમ, પટ અને તંતુરૂપ કાર્યકારણ ભિન્ન જણાય છે જે આપના અભિપ્રાયથી તે બંનેમાં એકત્વ આવે છે તે બરાબર નથી.
ઉત્તર-૯૦૬ જે તન્તુ-પટના અભેદ પક્ષમાં કાર્ય-કારણ ભાવાભાવની આપત્તિરૂપ જે ઉપાલંભ તારા મનમાં છે તે ભેદ પક્ષમાં પણ તુલ્ય જ છે. જેમકે, તત્ત્તવઃ 7 પટસ્થ જાળમ્ મિન્નાર્ ષટયેવ । એ બંને એકત્વ છતાં પણ વસ્તુઓના નામાદિ ભિન્ન દેખાય જ છે તેથી વિરૂદ્ધ નથી. જેમકે ઘટ-રૂપાદિનું એકત્વ લોકમાં પ્રતીત છે, અભિધાનાદિ ભિન્ન જ છે જેમકે ઘટ-રૂપાદિ-અભિધાન ભેદ, એક ઘટ ઘણાં રૂપાદિ–સંખ્યાભેદ, પહોળું પેટ વગેરે આકારલક્ષણ ઘટ છે અને રક્તત્વાદિલક્ષણ રૂપાદિ-લક્ષણભેદ, જલગ્રહણાદિ ક્રિયાકારણ ઘટ, રંગાધાનાદિ હેતુઓ રૂપાદિ-કાર્યભેદ, તેથી અભિધાનાદિભેદથી ભેદ એટલે હેતુ અનેકાંતિક છે. જોકે એની વિરૂદ્ધમાં એમ પણ કહી શકાય કે અભિધાનાદિભેદાત્ ઘટ-રૂપવત્ પટ-તત્ત્તઆદિ લક્ષણ કાર્ય-કારણ અભિન્ન છે.
પ્રશ્ન-૯૦૭
જો એકત્વની જેમ ભેદમાં પણ કાર્ય-કારણનો તુલ્ય ઉપાલંભ હોય તો લોક-પ્રસિદ્ધ તત્ત્ત-પટાદિનો કાર્ય-કારણ ભાવ કઈ રીતે સિદ્ધ થાય ?
-
ઉત્તર-૯૦૭ જે કારણથી ઘટ-માટીના પિંડાદિ લક્ષણ કાર્ય-કારણમાં પૃથ્વીઆદિ વસ્તુના પર્યાયો છે અને તે બંને ઘટ-પિંડલક્ષણ પૃથ્વીપર્યાયો અન્ય-અનન્ય મનાયા છે. ત્યાં સંખ્યા-સંજ્ઞા-લક્ષણાદિભેદથી અન્યત્વ, માટીરૂપ અને સત્ત્વ-પ્રમેયત્વાદિથી અનન્યત્વ છે, તેથી કાર્ય-કારણમાં આ અનન્ય-અન્યત્વરૂપ ભજના જાણવી. અને તેથી કાંઈક તે બંનેમાં પરસ્પર ભેદ અને કાંઈક અભેદ કાર્ય-કારણભાવ છે. પૃથ્વી-માટીથી વિશિષ્ટ-ભિન્ન ઘટ તન્મય જે કારણથી દેખાતો નથી. તે કારણથી તે ઘટ માટીથી અનન્ય ઘટે છે જો કે ઘટનિષ્પત્તિ પૂર્વે ઘટ એમ પ્રગટ રૂપથી પહેલાં ન હતો. પણ પૃથ્વી-માટી જ હતી. નહિતો સર્વથા એકત્વે પૃથ્વીકાળે પણ ઘટ દેખાય. તેથી જણાય છે કે પૃથ્વીથી અન્ય ઘટ છે. એમ માટી-ઘટનું પણ અન્ય-અનન્યત્વ છે. એમ સર્વત્ર કાર્ય-કારણમાં તે ભાવના કરવી.
-
જેમ તન્તુઓ પટનું નિમિત્ત કારણ છે. તેમ તે તંતુઓનું આતાન-વિતાનાદિ ચેષ્ટાનું નિમિત્ત વેમાદિ છે તેથી એ વૈમાદિક પટનું નૈમિત્તિકકારણ છે. તથા તંતુઓ પટનું સમવાયિકારણ છે, કેમકે તે પટમાં સંશ્લિષ્ટ છે એવું અહીં તાત્પર્ય છે. તન્તુષુ પટ એવું વૈશેષિકો માને છે. અને પટાખ્ય કાર્યમાં વેમાદિ સમવેત નથી એટલે તે અસમવાયિકારણ છે. વૈશેષિક સિદ્ધાંતમાં મતભેદ :
કેટલાક વૈશોષિકવિશેષીના મતે વેમાદિ-આદિશબ્દથી સજાતીય-અતજાતીયતુરીદિશા-કાળ-વેમાદિક વગેરે પટનું નિમિત્ત કારણ છે, અસમવાયિકારણ નથી. તે માત્ર