________________
૧૧૦
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
ઉત્તર-૯૦૧ – ક્ષાયિકભાવમાં વર્તતા ભગવાને પ્રમાણકાળમાં સામાયિક અધ્યયન કહ્યું છે માટે અથવા પ્રમાણકાળ પણ ભાવકાળ જ છે અને તે સિવાયના બીજા દ્રવ્યકાળ અદ્ધાકાળ વગેરે ઉપધિ માત્રથી કાંઈક વિશિષ્ટ હોવા છતાં ભાવકાળ જ છે. કારણ કે દ્રવ્યથી જે ચતુર્વિકલ્પ સ્થિતિ તે દ્રવ્યકાળ કહ્યો છે, સમય-આવલિકાદિ-અદ્ધાકાળ યથાયુષ્ક-આયુષ્યકાળ વગેરે આ સ્થિતિ વગેરે બધાય જીવ-અજીવ પર્યાય હોવાથી ભાવરૂપ જ છે, એટલે ખરી રીતે ભાવકાળથી જુદા નથી પરંતુ પ્રમાણાત્રેનાત્રાઉથાર: એમ જ કહ્યું છે તે વિશેષથી તે પ્રમાણકાળથી કાર્ય છે તે કારણથી જાણવું. અન્યથા શેષ દ્રવ્ય-અદ્ધાકાલાદિ પારંપર્યાદિથી સામાયિક નિર્ગમમાં યથાસંબંધ ઘટાવવા. દા.ત. ક્ષાયિક ભાવમાં વર્તમાન ભગવાનથી સામાયિક નીકળ્યું. રત્નમયસિંહાસન લક્ષણ દ્રવ્ય ઉપર બેઠેલા, જ્યાં દ્રવ્ય ત્યાં તેની સ્થિતિ રૂપ કાળ પણ છે જ. તથા યથાયુષ્કકાળ અનુભવતા, કર્મોને ઉપક્રમતા પ્રસ્તાવને જાણતા, આવી ચીમરણલક્ષણ મરણકાળ અનુભવતા, જીવાદિ પદાર્થવર્ણના કાળે પ્રવૃત્ત તેમનાથી તે નીકળ્યું. ફક્ત આધિક્યથી અહીં પ્રમાણકાળ-ભાવકાળ ઘટાવાય છે ઉપયોગી છે એટલે તે બંનેનું વિશેષથી અધિકારપણું બતાવ્યું છે.
(૨) ક્ષેત્રનિર્ગમ :- fક્ષ નિવા-ત્યો: ક્ષિત્તિ જીવો જેમાં રહે છે તે ક્ષેત્ર તે આકાશ સર્વાર્થ વેદિઓને માન્ય છે. બધા જીવાદિદ્રવ્યોની જે અવગાહના-અવસ્થાનરૂપ છે તે જ લિંગચિહ્ન છે જેનું તે સર્વદ્રવ્યાવગાહનાલિંગ, તે અપરાપર પર્યાયોમાં ગમનથી દ્રવ્ય જ છે. ફક્ત નિવાસમાત્ર પર્યાયને આશ્રયીને ક્ષેત્ર કહેવાય છે. તે ઉપાધિભેદથી બહુભેટવાળું છે. એથી અહીં મહસેનવન કે જ્યાં પ્રથમ સામાયિક નીકળ્યું. અન્ય ગુણશીલાદિ ઉદ્યાનોમાં તેનો પરંપર નિર્ગમ થયો. આ રીતે દુએ પ્રકારનો નિર્ગમ કહ્યો. અહીં ત્રીજા અનુગમ દ્વારમાં રહેલી બીજી ઉપોદ્દાત નિર્યુક્તિમાં રહેલું ત્રીજું નિર્ગમ દ્વાર પુરુ થયું. સામાયિક નિર્ગમના અંગ તરીકે નિર્ગમમાં આવેલા ક્ષેત્ર-કાળ રૂપ ચોથું-પાંચમું દ્વાર ક્ષેત્ર-કાળની વ્યાખ્યાથી જણાવ્યું જ છે.
એટલે ઉપોદ્યાત નિર્યુક્તિના ઉદ્દેશ-નિર્દેશ-નિર્ગમ-ક્ષેત્ર-કાળ એ પાંચ દ્વાર પૂરા થયાં (ગા.૯૭૩) હવે,
() પુરુષદ્વારઃ- (૧) દ્રવ્ય, (૨) અભિલાપ, (૩) ચિહ્ન, (૪) વેદ, (૫) ધર્મ, (૬) અર્થ, (૭) યોગ, () ભાવપુરુષ. એમ આઠ પ્રકારે છે.
(૧) દ્રવ્ય પુરુષ :- દ્રવ્ય પુરુષ 2 પ્રકારે છે - આગમથી-નોઆગમથી, આગમથીપુરુષપદાર્થs-અનુપયુક્ત-નોઆગમથી-જ્ઞ-ભવ્ય-તવ્યતિરિક્ત, જ્ઞ-ભવ્ય-દ્રવ્યાવશ્યાકાદિવત સુચર્ય-વ્યતિ- એકભવિક બદ્ધાયુષ્કાભિમુખ નામ ગોત્ર ભેદથી ત્રણ પ્રકારે, અથવા