________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૦૯ લાયોપથમિક - કેવલ વિના શેષ ચાર જ્ઞાનાશ્રયી શાયોપથમિક ભાવ પ્રથમ ભાંગે છે બીજો નથી. મતિ-શ્રુતાશ્રયીને ભવ્યોને અનાદિ-સાંત ત્રીજો, અને અભવ્યોને તે બંને આશ્રયીને અનાદિ-અનંત ચોથો ભાંગો છે.
પારિણામિક - સર્વ પુદ્ગલધર્મ દ્વયણુકાદિ પરિણામ (૧) સાદિ-સાંત, (૨) બીજો ભાંગો નથી ભવ્યત્વાશ્રયીને ત્રીજો (૩) અનાદિ-સાંત, સિદ્ધ નો મળે તો સિદ્ધાવસ્થામાં ભવ્યા-ભવ્યત્વ નથી હોતું પરંતુ, જીવત્વ-અભવ્યત્વની અપેક્ષાએ પરિણામિક ભાવ (૪) અનાદિ-અનંત છે.
વર્તમાનમાં જેનો અહીં અધિકાર છે તે પ્રમાણકાળ નો છે. પ્રશ્ન-૮૯૯ - તમે ગાથા ૨૦૩૦ માં કહ્યું હતું પણં તુ માવે અને અહીં પ્રમાણ કાળ નો અધિકાર છે એમ કહો છો તો તમારે પૂર્વાપર વિરોધ કેમ નહિ?
ઉત્તર-૮૯૯ – ક્ષાયિકભાવ કાળમાં રહેલા ભગવાને સામાયિકાધ્યયન કહ્યું હતું એ અભિપ્રાયથી પાયે તુ જાવેદ એમ પહેલાં કહ્યું હતું તથા પૂર્વાણ લક્ષણ પ્રમાણકાળે ભગવાને સામાયિક કહ્યું એ અધ્યવસાયથી અહીં પ્રમાણકાળથી અધિકાર છે એમ ઉભય સંગ્રહપર હોવાથી દોષ નથી. અથવા અદ્ધાકાળનો પર્યાય હોવાથી પ્રમાણકાળ પણ ભાવકાળ છે એટલે વિરોધ નથી.
પ્રશ્ન-૯૦૦ – ક્યા ક્ષેત્રમાં અને ક્યા કાળમાં સામાયિકનો નિર્ગમ થયો?
ઉત્તર-૯૦૦ – વૈશાખ સુદ-૧૦ પૂર્વાદ્ધાદેશકાળમાં-પ્રથમ પૌરુષીમાં મહાસેનવન ઉદ્યાનરૂપ ક્ષેત્રમાં સામાયિકાધ્યયનનો અનંતર નિર્ગમ અને અન્ય ગુણશિલકાદિ ઉદ્યાનોમાં ભગવાને પાછળથી સામાયિક પ્રરૂપ્યું જ છે પરંતુ મહાસેન વનથી શેષ ક્ષેત્રને આશ્રયીને તેનો પરંપર નિર્ગમ છે. ક્ષેત્ર-કાલ-નિર્ગમ થયા.
(૪) ભાવનિર્ગમ :- ક્ષાયિકભાવમાં રહેતા જિનેન્દ્ર ભગવાન મહાવીરથી સામાયિક નીકળ્યું અને ક્ષાયોપથમિક ભાવમાં વર્તમાન ગણધરો એ તેમની પાસેથી સામાયિક અને અન્યશ્રુત ગ્રહણ કર્યું. ત્યાં ભગવાનના દર્શન-જ્ઞાન-ચારિત્રાવરણનો સર્વથા ફીણથી ક્ષાવિકભાવ અને ગણધરાદિનો તો ત્યારે તે આવરણ ક્ષયોપશમાવસ્થાવાળો હોવાથી લાયોપથમિક ભાવ હોય છે.
પ્રશ્ન-૯૦૧ – પ્રકૃતિમાં કઈ રીતે ભાવથી અને કઈ રીતે પ્રમાણકાલથી અધિકાર છે?