________________
૧૦૪
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ સાધ્યત્વ સિદ્ધ થાય છે. તેની સિદ્ધિમાં સાધ્ય કર્મજનક તરીકે તજનકનિદાનનું પણ સાધ્યત્વ સિદ્ધ થાય છે.
પ્રશ્ન-૮૯૩ – જો આમ પૂક્તિઓથી કર્મનું સોપક્રમત્વ સિદ્ધ છે તો અહીં ફરી તેને સાધવું નકામું છે?
ઉત્તર-૮૯૩- બરાબર, પણ વિસ્તારપ્રિય શિષ્યના ઉપકાર માટે કરાતું હોવાથી દોષરૂપ નથી. અથવા કર્મનું નિદાન અધ્યવસાયસ્થાનો જ છે અને તે વિચિત્ર હોવાથી અસંખ્ય લોકાકાશપ્રદેશ રાશિ પ્રમાણ છે. એટલે તેમનામાં જેમ નિરૂપક્રમ જનક તેમ સોપક્રમકર્મજનક અધ્યવસાયસ્થાનો પણ છે જ, નહિતો તેની વિચિત્રતા જ અસંગત ઠરે. આવી યુક્તિથી સાધ્યકર્મજનકનિદાનનું સાધ્યત્વ સાધવું. તે સિદ્ધ થતાં તેનું કાર્ય એવા કર્મનું પણ સાધ્યત્વ અને સોપક્રમત્વ સિદ્ધ થાય છે. જેમ આ દેહ એ દષ્ટાંત છે. અને એનું ગંડછેદાદિદ્વારથી છેડાતું હોવાથી સોપક્રમત્વ છે એટલે જ સાધ્યનિદાન જન્યતા છે અને એટલે સાધ્ય-સાધનધર્મ દ્વારા એની અવિકલતા છે.
અથવા તે જ પ્રતિજ્ઞામાં રેહા માવત્ એવો બીજો હેતુ લેતાં આદિશબ્દથી જીવ, દેહ અને જીવમાં કર્મ હોય છે જીવમાં ફક્ત વહ્નિ અને અયોગોલુકન્યાયથી તેની વૃત્તિ છે, દેહમાં આધાર-આધેય ભાવથી જીવ છે તે રીતે કર્મ પણ રહે છે જેમ આ પ્રત્યક્ષ દેહ, દૃષ્ટાંત.
પ્રશ્ન-૮૯૪ – તો આધાર-આધેયભાવથી દેહમાં જીવની વૃત્તિ ઘટે છે પણ શરીરમાં શરીરની વૃત્તિ છે એ કઈ રીતે માની શકાય ?
ઉત્તર-૮૯૪ – ખરીવાત છે, સર્વપાવ: સ્વનિ વર્તતે, વક્વન્તો વાધારે એ ન્યાયથી દેહની પણ દેહવૃત્તિ ઘટે જ છે અથવા જેમ કાર્મણરૂપ દેહમાં જીવની વૃત્તિ પ્રતીત જ છે. એ રીતે ઔદારિકાદિ દેહની પણ વૃત્તિ તેમાં છે માટે હેતુમાં આપેલ દાઢી ભાવાત એવી દષ્ટાન્તની સાધનધર્મ વિકલતા નથી.
કર્મ ઉપક્રમમાં ફલપાકાદિ દષ્ટાંતો:
(૧) ફળપાક - જેમ કોઈ આંબો-રાજાદનાદિ ફળ જેટલા કાળે વૃક્ષપર રહેલું ક્રમે પાકે છે તેની અપેક્ષાએ વહેલું પણ ગર્તાપ્રક્ષેપ-પલાલ-(ઘાસનો પુળો) ઢાંકવા આદિ ઉપાયથી પકાવાય છે અને અન્ય વૃક્ષ પર જ ઉપાયના અભાવે ક્રમશઃ સ્થપાકકાળે પકાવાય છે. તેમ આયુષ્યાદિ કર્મ પણ કોઈપણ અધ્યવસાનાદિ હેતુઓ દ્વારા બંધાકાળે નિવર્તિત સોવર્ષાદિ રૂપ સ્થિતિકાળની અપેક્ષાએ અકાળે અંતર્મુહૂર્નાદિથી પકાવાય છે વેદાય છે એ તાત્પર્ય છે અને અન્ય બંધકાળનિવર્તિત સોવર્ષાદિરૂપ સ્થિતિ કાળે જ પાકે છે વેદાય છે.