________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૯૯
(૨) યથાયુષ્કોપક્રમકાળ – ભેદો. અધ્યવસાન-નિમિત્ત-આહાર-વેદના-પરાઘાત-સ્પર્શઆનપાન એ સાત પ્રકારે આયુ ભેદાય છે.
(૧) અત્યંત હર્ષ-શોક દ્વારા અધિક અવસાન-ચિંતનથી આયુ તૂટે છે અથવા રાગ-સ્નેહભયના ચિંતનથી આયુ તૂટે છે.
(૨) દંડ-કશા-શસ્ત્ર-દોરડા-અગ્નિ-પાણીમાં પડવું-વિષ-વ્યાલ-શીતોષ્ણ-અરતિ-ભયભૂખ-તરસ-રોગ-મળમૂત્રનો નિરોધ-જીર્ણાજીર્ણમાં વારંવાર ભોજન, ઘર્ષણ-ઘોલન-પીડન આદિ નિમિત્તોથી આયુષ્યનો ઉપક્રમ થાય છે.
(૩) વધુપડતો આહાર કરવાથી (૪) અતિશય વેદનાથી માથ-આંખ-કુક્ષી વગેરેથી થયેલી (૫) ખાડામાં પડવા વગેરેથી થતા પરાઘાતથી (૬) સાપ વગેરેના સ્પર્શથી (૭) આન-પાન રોકવાથી આયુષ્યનો ઉપક્રમ થાય છે.
પ્રશ્ન-૮૮૨ – આ રીતે ઉપક્રમ ફક્ત આયુષ્યનો જ થાય છે કે બીજી જ્ઞાનાવરણાદિ પ્રકૃતિઓનો પણ થાય છે?
ઉત્તર-૮૮૨ - શુભા-શુભ પરિણામ વશ અપવર્તનો કરણથી યથાયોગ સ્થિતિ આદિ ખંડન દ્વારથી અપવર્તમાન બધી જ જ્ઞાનાવરણાદિ પ્રકૃતિઓનો ઉપક્રમ થાય છે. તે પ્રાયઃ નિકાચના કરણથી અનિકાચિત સ્પષ્ટ-બદ્ધ નિધત્તાવસ્થાવાળી નો જ થાય છે. પ્રાયનું ગ્રહણ કરવાનો હેતુ એ છે કે તીવ્ર તપથી નિકાચિત કર્મોનો પણ ઉપક્રમ થાય છે. જો જેમ બાંધ્યું તેમ જ ઉપક્રાંત સર્વ કર્મ વેદાય તો કોઈનો ય મોક્ષ ન થાય કારણ કે તેજ ભવે મોક્ષે જનારાને પણ સત્તામાં નિયમો અન્તઃ કોડાકોડી સાગરોપમ સ્થિતિવાળા કર્મો હોય છે.
પ્રશ્ન-૮૮૩ - તો પછી માત્ર આયુષ્યનો જ ઉપક્રમ કાળ કેમ કહ્યો અને બીજા કર્મોનો ન કહ્યો?
ઉત્તર-૮૮૩ – લોકમાં આયુષ્યનો ઉપક્રમ જ પ્રસિદ્ધ હોવાથી તે જ અહીં કહ્યો છે
પ્રશ્ન-૮૮૪– જો અપ્રાતકાલ પણ બહુકાળે વેદ્ય કર્મ આ રીતે ઉપક્રમાય તો અકતાગમકૃતનાશ અને મોક્ષ અનાશ્વાસતા આ બે દોષ આવે છે. જે અત્યારે જ ઉપક્રમથી કરેલ અલ્પસ્થિત્યાદિ રૂપ કર્મ વેદાય છે તે પૂર્વે અકૃત જ આગમ છે એટલે અકૃતાગમ અને જે પૂર્વે