________________
ગુજરાતી પ્રશ્નોત્તર
મનુષ્ય કે તિર્યંચ નથી હોતા. કેમકે જે અતિશય સુખી મનુષ્યો હોય છે, તેમને પણ રોગ-જરા વગેરે દુ:ખો પ્રાપ્ત થાય છે. અને જે અતિશય દુઃખી હોય છે તેમને શીતલવાયુ-પ્રકાશ વગેરે સુખો પ્રાપ્ત થાય છે. એટલે મનુષ્ય-તિર્યંચને જ અત્યંત સુખી-દુઃખી ન કહી શકાય. પરંતુ ઉત્કૃષ્ટ પાપનું ફળ ભોગવના૨ નારકી અને પુણ્યફળ ભોગવનાર દેવોને જ અત્યંત દુઃખી કે સુખી કહેવાય. તે દેવો ઉત્કૃષ્ટ રૂપાદિ ગુણયુક્ત અને પંચવિધ વિષયમાં આસક્ત તથા દિવ્ય પ્રેમવાળા છે. તેમજ અસમાપ્ત કાર્યવાળા અને મનુષ્યોને આધીન કાર્યવાળા ન હોવાથી તેઓ અશુભ નરલોકમાં નિઃસંગ યતિની જેમ આવતા નથી.
ન
૭૧
તથા, જિનેશ્વર દેવોનાં ચ્યવનાદિ કલ્યાણ સમયે સ્વકર્તવ્યતયા કેટલાક દેવો અહીં આવે છે, કેટલાક દેવો ભક્તિથી તથા કેટલાક સંશય છેદ માટે આવે છે, કેટલાક પૂર્વના અનુરાગથી, પૂર્વસંકેતથી, તપના પ્રભાવથી, પૂર્વના વૈરથી મનુષ્યોને પીડા કરવા અથવા મૈત્રીભાવથી અનુગ્રહ કરવા, તથા કામાનુરાગથી આવે છે. કેટલાક જાતિસ્મરણવાળા મનુષ્યના કથનથી, કેટલાક મનુષ્યોને પ્રત્યક્ષ દેખાયાથી, કેટલાક વિદ્યા-મંત્રની ઉપયાચનાથી, ગ્રહના વિકારથી તથા ઉત્કૃષ્ટ પુણ્યના સંચયના બળથી અહીં આવે છે.
આમ, ‘દેવ' એવા સાર્થક નામથી તથા સર્વ આગમ શાસ્ત્રોના પ્રમાણથી દેવો છે એમ સિદ્ધ થાય છે. તેથી માનવું જોઈએ કે ‘દેવ’ એ નામ ‘ઘટ’ ના નામની જેમ શુદ્ધ પદ હોવાથી સાર્થક છે. મનુષ્ય જ દેવના ગુણ અને ઋદ્ધિથી સંપન્ન હોવાથી દેવ હશે એમ ન માનવું, કેમકે મુખ્ય અર્થની સિદ્ધિ થાય તો જ અન્યત્ર ઉપચારથી સિદ્ધિ કરી શકાય. જેમકે માણવકમાં ઉપચારથી યથાર્થ સિંહની સિદ્ધિ કરાય છે.
વેદ વચનથી દેવોની સિદ્ધિ :
જો દેવોનો અભાવ હોય તો ‘“અગ્નિહોત્રં ગુહુયાત્ સ્વńામ:' (મૈયુપનિષદ્ ૬-૬) વગેરે જે વેદ પદોમાં સ્વર્ગફળ બતાવાયું છે તે તથા યજ્ઞો અને દાનધર્મનું જે સ્વર્ગીય ફળ કહ્યું છે તે સર્વ અયોગ્ય થાય. કારણ કે સ્વર્ગવાસી દેવો જ ન હોય તો પછી તે સ્વર્ગ મેળવવાનું નિધાન ક્યાંથી હોય ? “સ ણ્ યાયુધી” (શતપથ બ્રાહ્મણ ૧૨, ૫, ૨, ૮) ઈત્યાદિ વેદ વાક્યો પણ દેવોની સત્તા બતાવે છે. વળી “જો નાનતિ માયોપમાન્ ચીર્વાળાનિન્દ્ર-યમ-વળલેરાવી' વગેરેથી દેવોનો અભાવ સિદ્ધ થતો નથી પરંતુ આ વાક્યથી દેવની ઋદ્ધિ પણ ઈન્દ્રજાળની જેમ અનિત્ય છે, તો પછી મનુષ્યાદિની ઋદ્ધિ તો અનિત્ય જ છે એમ સિદ્ધ થાય છે. તથા શ્રુતિમાં કહ્યું છે કે - “થોડશિપ્રવૃત્તિતુમિર્ચમ-સોમ-સૂર્ય-સુગુરુ-સ્વારાગ્યાનિ વિત'' અર્થાત્ ઉષોડિશ વગેરે યજ્ઞો વડે યમ-સૂર્ય-બૃહસ્પતિ તથા સ્વર્ગના રાજ્યને પ્રાપ્ત કરે છે. આ વેદવાક્યો દેવોની સત્તા બતાવનારાં જ છે. તથા “ઞા મેષાતિથે મેધવૃષળ'