________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
અઢીદ્વીપ સિવાય સૂર્યાદિની ગતિક્રિયાનો અભાવ હોવાથી ત્યાં અહ્વાકાળ કહેવાતો નથી, આ કાળ ગોહોદાઘાત્મક ક્રિયાની અપેક્ષા રાખતો નથી. સમયાદિ અદ્ધાકાળ ભેદો – સમય, આવલિકા, મુહૂર્ત, દિવસ, રાત્રિ, અહોરાત્ર, પક્ષ, માસ, વર્ષ, યુગ, પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણી, અવસર્પિણી, પુદ્ગલપરાવર્ત વગેરે.
૯૬
(૩) યથાયુષ્ય કાળ :- વર્તનાદિમય અદ્ધાકાળ નરકાદિ આયુષ્ય માત્ર વિશિષ્ટકાળ - યથાયુષ્કકાળ, તિર્યંચ, મનુષ્યાદિ જે જીવ દ્વારા આર્ત-રૌદ્ર-ધર્મધ્યાનાદિથી ઉપાર્જિત આયુયથાયુષ્ય, તેનો અનુભવન કાળ-યથાયુષ્ક કાળ. એની સ્થિતિ-જે જીવો પોતાના બાંધેલા આયુષ્યથી જેટલું અંતર્મુહૂર્તથી ૩૩ સાગરોપમ સુધી કાળ છે તે તે જીવનો ત્યાં સુધીની સ્થિતિવાળા થાય છે. અર્થાત્ પૂર્વભવમાં બાંધેલું નરકાયુ નારકીપણે વિપાકથી અનુભવાય તે નરકાયુકાળ. એમ ચારે ગતિના થઈ યથાણુકકાળ ચાર પ્રકારના છે.
(૪) ઉપક્રમકાળ ઃ- દૂર રહેલી વસ્તુને તે તે ઉપાયભૂત એવી ક્રિયાવિશેષ વડે નજીક લાવવી તે ઉપક્રમ કહેવાય. અથવા જે સામાચારી વગેરે વસ્તુને નજીક લાવવી તે તેનો ઉપક્રમ. તેનો જે કાળ તે ઉપક્રમકાળ કહેવાય. તે ઉપક્રમકાળ ૨ પ્રકારે (૧) સામાચારી ઉપક્રમકાળ (૨) યથાયુષ્કોપક્રમકાળ.
સામાચારી પૂર્વી જેવા ઉપ૨ના શ્રુતમાંથી અહીં ઉત્તરાધ્યયન કે આવશ્યકાદિમાં લાવવું તે સામાચારી ઉપક્રમ,
દીર્ઘકાળ ભોગ્યનું અલ્પકાળમાં જ ક્ષપણ યથાયુષ્ક ઉપક્રમ કહેવાય છે.
(૧) સામાચારી ત્રણ પ્રકારે (૧) ઓધ સામાચારી (૨) દશવિધસમાચારી (૩) પવિભાગ સામાચારી.
પ્રશ્ન-૮૮૧ – ઉપરના કયા શ્રુતમાંથી આ ત્રિવિધ સામાચારી ઉપક્રાંત થઈ છે ?
ઉત્તર-૮૮૧ – ઓધ સામાચારી ૯મા પર્વમાં રહેલા આચારનામની ત્રીજી વસ્તુના ૨૦માં પ્રાભૂતમાં રહેલા ઓધ પ્રાભૂતમાંથી ઉદ્ધરીને ઓનિર્યુક્તિ રૂપ સંક્ષેપ ગ્રંથ રૂપ ગુંથિને કારુણ્યધન, પરોપકાર નિરત સ્થવિરોએ તથાવિધ આયુબળ-મેઘાદિ વિનાના વર્તમાનયુગના સાધુઓને ઉપર કહેલા શ્રુતને ભણાવવાની યોગ્યતાના અભાવ અને પાછળથી તેના વિચ્છેદને અપેક્ષીને અનુગ્રહ માટે સુખપૂર્વક અધ્યાપન-પરાવર્તન-ચિંતન-અર્થપરીજ્ઞાન અનુષ્ઠાન માટે સામીપ્ટ કરીને અપાઈ છે.
દવિધસામાચારી – ઉતરાધ્યયનના ૨૬માં અધ્યયનમાંથી ઉદ્ધરેલી છે.