________________
ગુજરાતી પ્રશ્નોત્તર
છે, તેમ અમૂર્ત મુક્તાત્માઓનો સમાવેશ પરિમિત ક્ષેત્રમાં થઈ જાય એમાં આશ્ચર્ય જેવું શું છે ?
નહિ સશીરસ્ય પ્રિયપ્રિયથોરપતિપ્તિ...” એટલે સશરીરીને સુખ-દુઃખનો અભાવ નથી અને અશરીરીને સુખદુઃખ સ્પર્શતા નથી. વગેરે વેદપદોનો ખરો અર્થ તું જાણતો નથી તેથી જ તેને બંધ-મોક્ષમાં શંકા થાય છે પણ એવી શંકા ન કરવી કેમકે સશરીરીભાવ અને અશરીરીભાવ તેજ પ્રગટ રીતે બંધ-મોક્ષ છે. વળી “ g વાળો વિમુને વધ્યતે” ઈત્યાદિ પદોને તું સંસારી જીવને બન્મ-મોક્ષના અભાવને બતાવનારા માને છે પણ તેમ નથી, એ પદો મુક્તાત્મા સંબંધી છે. મુક્તાત્મા કદી પણ બંધાતો નથી વગેરે બધું મુક્તાત્માને ઉદ્દેશીને કહેલ છે.
(૭) મૌર્ય ગણધર - દેવો છે કે નહિ?
હે મૌર્ય ! તું માને છે કે નારકીઓ અત્યંત દુઃખી અને પરાધીન હોવાથી અહીં આવી શકતા નથી એટલે પ્રત્યક્ષ થવાનો ઉપાય ન હોવાથી તેમનું વર્ણન સાંભળીને જ શ્રદ્ધા કરવા લાયક છે. આ કારણથી તેઓ “શાસ્ત્રાનુસારે વિદ્યમાન છે” એમ માનવું જોઈએ. પરંતુ દેવો તો સ્વચ્છંદચારી અને દિવ્ય પ્રભાવવાળા હોવા છતાં પ્રત્યક્ષ થતા નથી. અને શ્રુતિ-સ્મૃતિ આદિ ગ્રંથોમાં ‘તેઓ છે' એમ સંભળાય છે આથી તને તેમના વિશે સંશય છે. પણ તું સંશય ન કર. અહીં સમવસરણમાં જ મનુષ્યાદિથી ભિન્ન જાતિવાળા તથા દિવ્ય આભૂષણાદિવાળા વૈમાનિકાદિ ચારે નિકાયના દેવો અહીં વંદન માટે આવેલા છે તેમને પ્રત્યક્ષ જો.
અને અહીં એમને જોયા પહેલાં પણ તેમની વિદ્યમાનતાનો સંશય કરવો યોગ્ય નથી. કેમકે ચંદ્ર-સૂર્ય વગેરે આ જ્યોતિષી દેવો તો બધાને પ્રત્યક્ષ જણાય જ છે. વળી લોકોને દેવકૃત અનુગ્રહ અને ઉપઘાત પણ પ્રત્યક્ષ જણાય છે. આથી દેવો વિદ્યમાન છે એમ નિશ્ચય થાય છે.
પ્રશ્ન-૮૪૪– જે ચંદ્ર-સૂર્યાદિ તમે કહો છો તે તો આલયમાત્ર-વિમાનો છે પણ દેવો નથી એટલે જ્યોતિષી દેવો પ્રત્યક્ષ છે એમ કેમ કહેવાય?
ઉત્તર-૮૪૪– તે વિમાનરૂપ નિવાસથી જ તેમાં નિવાસ કરનારા દેવો છે, એમ યુક્તિથી જ સિદ્ધ થાય છે. કારણ કે જે જે નિવાસસ્થાન હોય છે તે તે નિવાસ કરનાર વડે અધિષ્ઠિત હોય છે, જેમ દેવદત્તાદિ વ્યક્તિઓ વડે અધિષ્ઠિત નગરનાં નિવાસસ્થાનો છે. તેમ વિમાનો પણ નિવાસસ્થાન હોવાથી તે સર્વે તેમાં નિવાસ કરનારા દેવો વડે અધિષ્ઠિત છે. એટલે એમાં દેવો છે એમ સિદ્ધ થાય છે.
પ્રશ્ન-૮૪૫– તો નગરમાં નિવાસસ્થાનમાં રહેનાર દેવદત્ત વગેરે પ્રત્યક્ષ જણાય છે, તેમ તે વિમાનમાં રહેનારા દેવો કેમ પ્રત્યક્ષ દેખાતા નથી?