________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૯૧
ઉત્તર-૮૭૫ પ્રભાસ ! તું વેદનો અર્થ બરાબર જાણતો નથી, તેથી અવળો અર્થ કરે છે. સાચો અર્થ આ રીતે છે – એ પદમાં ન અવ્યય છે તે નિષેધાર્થે છે. TM અને વૈ અવ્યય પંચમી અર્થે છે અને સશરીરસ્ય પદનો અર્થ શરીરવાળા જીવને, પ્રિયાપ્રિયયોરપદ્ઘતિરસ્તિ એનો અર્થ સુખ-દુઃખનો નાશ. આ સર્વનો સમુદાય અર્થ-શરી૨ રહિત એવી મોક્ષ અવસ્થામાં વસતા જીવને સુખ-દુ:ખ સ્પર્શતા નથી. અર્થાત્ જીવ જ્યાં સુધી શરીરની સાથે છે ત્યાં સુધી સુખ અથવા દુઃખથી ક્યારેય મુકાતો નથી. અને શરીર વિનાના મુક્તાત્માને વેદનીય કર્માદિનો ક્ષય થવાથી સુખ-દુઃખ સ્પર્શતા નથી. આમ, અશરીર શબ્દથી મુક્તાવસ્થામાં રહેલ વિદ્યમાન જીવનું જ કથન છે. નહિ કે સર્વથા અભાવરૂપ નષ્ટ જીવનું. જેમ “ધનરહિત દેવદત્ત’માં ધનનો વિદ્યમાન દેવદત્તને નિષેધ છે દેવદત્તનો અભાવ નહિ. તેમ અશરીર શબ્દથી જીવનો નાશ ન સમજવો. કારણ કે જેનો જ્યાં નિષેધ કરાય તે નિષેધ અન્યત્ર વિદ્યમાન હોય એનો જ કરાય છે. સર્વથા અવિધમાનનો નથી કરાતો.
પ્રશ્ન-૮૭૬
શકાય ?
-
-
જેનો નિષેધ કરાય તે અન્યત્ર વિદ્યમાન હોય. એવું કઈ રીતે માની
ઉત્તર-૮૭૬ – જેમ “નબ્રાહ્મણ” એટલે જે બ્રાહ્મણ નહિ તે અબ્રાહ્મણ. આમ કહેવાથી બ્રાહ્મણ સિવાય અન્ય ક્ષત્રિયાદિ સમજાય છે, પણ સર્વથા અભાવ નથી જણાતો. તેમ અહીં પણ ‘જેને શરીર નહિ તે અશરીર' એમ કહેવાથી શરીરી જેવો અન્ય અશરીરી મુક્ત જીવ જ સમજાય છે. પણ તેનો સર્વથા અભાવ નથી સમજાતો. કારણ કે બંનેમાં ઉપયોગધર્મ સમાન છે તે અપેક્ષાએ ઉભયમાં સમાનતા છે.
પ્રશ્ન-૮૭૭ જો તમે ઉભયને સમાન માનશો તો ત્યાં શરીર બાધકરૂપ નહિ થાય ? ઉત્તર-૮૦૭ ના, કેમકે શરીર તો જીવ સાથે ક્ષીર-નીરની જેમ એકરૂપ થઈ ગયેલું હોવાથી એક જ છે.
-
‘“વા વસાં” પદનો અર્થ :
“વા વસન્ત' એટલે લોકાગ્રે રહેલ. આ વિશેષણથી અશરીર શબ્દ વડે વાચ્ય એવા વિદ્યમાન જીવનું કથન છે. અવિદ્યમાન અર્થનું નહિ. કેમકે વસવાનો-૨હેવાનો ધર્મ એ વિદ્યમાન પદાર્થનો છે માટે જીવના નાશરૂપ મોક્ષ નહિ, પણ જીવની શુદ્ધ મુક્તાવસ્થા તે મોક્ષ જાણવો તથા વા શબ્દથી માત્ર અશરીરી જીવ જ તે વેદનાથી મુક્ત છે એવું નહિ પણ સદેહીવીતરાગ – જેનો મોહ ઉપશાંત થયો હોય, અથવા ક્ષય થયો હોય એવા પરમ સમાધિવાળા યોગી, તે પણ મુક્ત કહેવાય. તેમને પણ સુખ-દુઃખ સ્પર્શતા નથી.