________________
૪૮
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
જ્ઞાનમાં જણાતા હોવાથી કોની અપેક્ષા કોણ કરે? અને જો અનુક્રમે જ્ઞાન થતું હોય તો પ્રથમ સ્વપ્રતિભાસિ જ્ઞાન વડે હૃસ્વાદિ પદાર્થનું ગ્રહણ કરવાથી ઉત્તરકાળમાં દીર્ધાદિ પદાર્થના ગ્રહણમાં કઈ અપેક્ષા છે? કોઈ નહિ. આ ઉપરથી સિદ્ધ થાય છે કે ચક્ષુ આદિ સામગ્રીના સદ્ભાવમાં અન્યની અપેક્ષા વિના સર્વ પદાર્થો પોતપોતાના જુદા જુદારૂપે સ્વપ્રતિભાસિ જ્ઞાનમાં જણાય છે એટલે સર્વ પદાર્થો સ્વભાવતઃ સિદ્ધ છે.
અથવા તરતના જન્મેલા બાળકને જન્મ પછી તરત જે પ્રથમ વિજ્ઞાન થાય છે તે કઈ અપેક્ષાએ થાય છે ? વળી હ્રસ્વમાં નહિ તેમ દીર્ઘમાં પણ નહિ, પરંતુ ચક્ષુયુગલની જેમ પરસ્પર તુલ્યવસ્તુમાં એકકાળે તે બંનેને તુલ્યરૂપે ગ્રહણ કરનાર સ્વપ્રતિભાસિ જ્ઞાન કરવામાં પરસ્પર કઈ અપેક્ષા છે? માટે આંગળી વગેરે પદાર્થોનું સ્વરૂપ અન્યની અપેક્ષાએ નથી પરંતુ, સ્વપ્રતિભાસ જ્ઞાનથી અન્યની અપેક્ષા સિવાય તેઓ સ્વરૂપથી જ ગ્રહણ થાય છે. એટલે પદાર્થમાત્ર સ્વરૂપથી જ સિદ્ધ છે.
વળી જો સર્વશૂન્યતા માનીએ તો હ્રસ્વ પદાર્થથી દીર્ઘપદાર્થમાં દીર્ઘત્વના જ્ઞાનનો વ્યવહાર કઈ રીતે થાય ? અને દીર્ઘની અપેક્ષાએ જ દીર્ઘજ્ઞાનનો વ્યવહાર કેમ ન થાય? વળી એ રીતે દીર્ઘથી દીર્ઘમાં અને હ્રસ્વથી હ્રસ્વમાં પણ તેવો જ્ઞાન અને વ્યવહાર કેમ ન થાય? તથા આકાશ કુસુમથી પણ દીર્ઘ-ધ્રુસ્વમાં દીર્ઘ-હત્ત્વજ્ઞાન અને વ્યવહાર અને આકાશ કુસુમથી જ આકાશ કુસુમમાં હ્રસ્વ-દીર્ઘ જ્ઞાનનો વ્યવહાર કેમ ન થાય? કારણ કે શૂન્યતા તો ત્યાં પણ સમાન જ છે. પણ એમ વ્યવહાર થતો નથી. માટે જ ભાવો-પદાર્થો વિદ્યમાન છે, પણ જગત શૂન્ય નથી.
જો વસ્તુનો સર્વથા અભાવ હોય તો હૂવાદિને દીઘદિની અપેક્ષાનો કોઈ લાભ નથી કેમકે, તે તો શૂન્યતાથી પ્રતિકૂળ છે.
પ્રશ્ન-૭૯૭– તો અમે એમ કહીશું કે સ્વભાવથી જ અપેક્ષા વડે દીર્ઘનહૂસ્વાદિ વ્યવહાર થાય છે?
ઉત્તર-૭૯૭– એ બરાબર નથી કારણ કે, “અગ્નિ બળે છે, આકાશ બળતું નથી આમાં જેમ સ્વભાવ હેતુ છે એમ તારા કહેવામાં નથી, કેમકે વંધ્યાપુત્ર જેવા અવિદ્યમાન પદાર્થમાં સ્વભાવ માનવો એ સર્વથા અયોગ્ય છે. આ રીતે સ્વભાવ-પરભાવ માનવાથી તો શૂન્યતાની હાનિ થશે એટલે તારી માનેલી શૂન્યતા સિદ્ધ નહિ થાય.
અથવા સ્વતઃ સિદ્ધ વસ્તુમાં અન્ય અપેક્ષાથી “હ્રસ્વ-દીર્ઘ એવું નામ માત્રથી વિજ્ઞાન સિદ્ધ થશે. પરંતુ અન્ય અપેક્ષાથી વસ્તુની સત્તા સિદ્ધ નહિ થાય, તેમજ હ્રસ્વ-દીર્વાદિ ધર્મ સિવાય રૂપ-રસાદિ ધર્મો પણ સિદ્ધ નહિ થાય. કેમકે વસ્તુની સત્તા અને રૂપાદિ ધર્મગ્રહણ