________________
૧ ૨
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
નામઘટ, સ્થાપનાઇટ આદિ રૂપથી નામાદિ ચારે નિક્ષેપાઓનો વ્યવહાર થાય છે અને તે પણ અનેકાંતનું જ સમર્થન કરે છે. (૪) હવે અન્ય એક ઉદાહરણ આપી અનેકાંતનું સમર્થન કરે છે. એક માટીનો ઘટ છે. (માટીના ઘડામાં) માટી અને ઘટનો (સર્વથા) અન્વય = અભેદ માની શકાતો નથી. કારણ કે, ઘટની ઉત્પત્તિ પૂર્વેની પિંડરૂપ માટી અલગ હતી અને ઘટની ઉત્પત્તિ પછીની ઘટ અવસ્થામાં માટી અલગ છે. તે જ રીતે માટીના ઘટમાં) માટી અને ઘટનો (સર્વથા) ભેદ પણ નથી. કારણ કે, માટીની અપેક્ષાએ અન્વય = અભેદ દેખાય છે. અર્થાત્ ઘટની ઉત્પત્તિ પૂર્વે માટીના પિંડમાં “આ માટી છે” તથા ઘટ અવસ્થામાં “આ માટી છે” આવો અન્વય જોવા મળે છે.
અહીં પ્રશ્ન થઈ શકે કે, જો ઘટમાં સર્વથા ભેદ જાતિ નથી કે સર્વથા અભેદજાતિ પણ નથી, તો ઘટમાં કઈ જાતિ છે? તેનો ઉત્તર અનેકાંતવાદિ આપે છે કે, અમે ઘટમાં સર્વથા ભેદરૂપ કે સર્વથા અભેદરૂપ, એ બંને જાતિઓથી અતિરિક્ત ભેદાભેદ જાતિનો સ્વીકાર કરીએ છીએ. આ પણ અનેકાંતવાદનું જ સમર્થન કરે છે.
કહેવાનો આશય એ છે કે, માટીના ઘટમાં માટી અને ઘટનો સર્વથા અભેદ પણ માની શકાતો નથી અને સર્વથા ભેદ પણ માની શકાતો નથી. ઘટનો માટીરૂપથી સર્વથા અભેદ પણ કહી શકાતો નથી. કારણ કે, પિંડરૂપે રહેલી માટી અને ઘટ અવસ્થામાં રહેલી માટી ભિન્ન છે. અવસ્થાભેદ તો નિશ્ચિત છે જ. તેમાં સર્વથા ભેદ પણ કહી શકાતો નથી. કારણ કે, માટીરૂપે અન્વયે પણ દેખાય છે. માટીનો પિંડ પણ માટીનો જ છે અને ઘટ પણ માટીનો જ છે. તેથી ઘટ સર્વથા અભેદ અને સર્વથા ભેદરૂપ બે જાતિઓથી અતિરિક્ત એક 9. નાન્વય: સ દિ વિવાત્ર બેરોડવંયવૃત્તિ: મૃદયસંસવૃત્તિ નાચત્તરં ઘટડા (૬. સમુ. વૃત્તિ: રસ્તો.૧૭ (ટી))