________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૧
બા હ ડ મે રૂ તેને સિંહની માફક એક પાંજરામાં પૂરીને સ્ત્રીઓ માંથી પાણી ભરવા જતી ત્યાં એ પાંજરું રાખ્યું. જતી આવતી સ્ત્રીઓ તેનો ઉપહાસ કરતી.
આ વખતે બાહડમેરમાં અમીયા નામની એક કાઠિયાવાડી બાઈ રહેતી હતી. તે પિતાના રાજાને આ ઉપહાસ સહન ન કરી શકી. પણ એકલી બાઈ અને તે પણ સુરન પરદેશમાં શું કરી શકે ? છતાં તેને આવી અપમાનજનક સ્થિતિમાંથી કવાટના છૂટકારાનો વિશ્વાસ તે હતો જ! કારણ કે કવાટ અને ઉગડાના પરાક્રમથી તે સુપરિચિત હતી.
કવાટના પાંજરે પુરાયાના વર્તમાનથી કાઠિયાવાડના વીરે ખૂબ આવેશમાં આવી ગયા. આ બાજૂ અંતરાવ સાંખલે પણ કઈ રીતે આ છે ઉતરે એવો ન હતો. સિંધ જેવા દૂરના દેશના રાજાને હરાવ એ સહેલું ન હતું. આ પ્રસંગ માટે મેવડી થવા માટે પણ કોઈ તૈયાર ન હતું. છેવટે કવાટના ભાણેજ ઉગડાએ એ કામ માથે લીધું.
સિંધમાં એકંદરે વરસાદ ઓછો પડે છે અને તેથી ત્યાં ઘણીવાર દુકાળ પડે છે. તે વખતે ત્યાં દુકાળ પ્રવર્તતો હતો અને જાનવરો માટે ઘાસની બહુ જ તંગી જણાતી હતી. આ પરિસ્થિતિને પિતાના માટે લાભ લેવાને ઉગડાએ વિચાર કર્યો. તેણે પાંચસો ગાડાં ઘાસનાં ભર્યા અને એ દરેક ગાડામાં ઘાસની અંદર પિતાના શુભટને સંતાડી રાખ્યા. અને તે બધાં ગાડાં લઈને બાહરમેરમાં આવી પહોંચે. અણીને વખતે આવી મળેલા આટલાં બધાં ઘાસનાં ગાડાંથી લેકે ઘણા રાજી થયા. ઉગડાએ તેમાંથી છુટક ઘાસ વેચવાની ના કહી અને રાજા અને બધા અમલદારો એક સ્થાને ભેગા મળીને જે ભાવ નક્કી
૧ કાઈ કહે છે કે તે રાજ કવાટની બહેન થતી હતી.
For Private and Personal Use Only