________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આજનું સ્ત્રી શિક્ષણ
૫૩૧ શિક્ષણ સંબંધી કંઈક જુદું લખવું પણ જરૂરનું છે.
પૂર્વકાલમાં શિક્ષિત સિઓ જો કે વેદ મંત્રોમાં સ્ત્રી અને કોને ભણાવવાને નિષેધ કરવામાં આવ્યું છે. પરંતુ વેદોના કેટલાક મથી જ જણાય છે કે વેદકાળમાં પણ કેટલીક સ્ત્રીઓ વિદુષી હતી. વૈદિક સિવાય જૈને અને બૌદ્ધ હમેશાં સ્ત્રી શિક્ષણની તરફેણમાં રહ્યા છે. બહુ જૂના કાળમાં પણ બ્રાહ્મી સુંદરી જેવી અનેક સ્ત્રીઓ અઠંગ વિદુષીઓ હતી, તેવા ઉલ્લેખ જૈન શાસ્ત્રોમાં મળે છે. શકુંતલા, સીતાદિને હિન્દુ નાટકે પણ એજ પ્રમાણે જણાવે છે.
વેદકાળ પછી એટલે કે અઢી હજાર વર્ષના વચલા ગાળાની અંદર વૈદિક, જૈન અને બૌદ્ધોમાં અનેક સ્ત્રીઓ જુદા જુદા વિષયની પારંગત હતી, તે વાત કાળિદાસ, ભવભૂતિ, બાણના પ્ર-તિલકમંજરી, પાઈઅલછી નામમાળા, પરિશિષ્ટ પર્વ, અંજણસુંદરી ચરીય જેવા અનેક પુસ્તકોથી પુરવાર થાય છે. છેલ્લા અઢી હજાર વર્ષના ઇતિહાસકાળમાં થએલી વિધીઓ પૈકી કેટલીક આ છે –
વિદુષી સ્ત્રીઓ વિજ્રકા, સુભદ્રા, સુલસા, વિકટનિતંબ, યક્ષા, યાકિનીમહારા, ગુણમહત્ત, અવન્તિસુંદરી, તિલકમંજરી, સુંદરી, રાજેમતિ, મંડનમિત્રની સ્ત્રી, લીલાવતી, ઇન્દુલેખા, મદાલસા, મારૂલા, મેરિકા, શીલા, અકૂપા.
પહેલાં સ્ત્રીઓમાં સ્ત્રીઓને યોગ્ય શિક્ષણ અપાતું. કાવ્ય, સંગીત, શીલ, આરોગ્ય, પતિભક્તિ વિગેરે ઉપર ખાસ ભાર મૂકાતે.
For Private and Personal Use Only