Book Title: Himanshuvijayjina Lekho
Author(s): Himanshuvijay, Vidyavijay
Publisher: Vijaydharmsuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 580
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન એજ્યુકેશન એડની ધાર્મિક પરીક્ષા પપ૩ બનાવવા સંબંધી મને સૂચના કરી હતી. કેટલાંક વર્ષોથી હું કેળવણીના વિષયમાં થોડેઘણે રસ લઈ રહ્યો છું. મારા પ્રિય વિષયો પૈકી કળવણી પણ એક વિષય છે, તેથી મેં આ સૂચનાને સ્વીકારી લીધી. જૂનો પાઠ્યક્રમ અને સમાજની આવશ્યકતા તથા સંસ્કૃતિ જોતાં મને લાગ્યું કે હવે તેમાં પરિવર્તન કરવું જરૂરનું છે, પહેલાં જેટલી જિજ્ઞાસા હતી તે કરતાં હવે વધી છે અને વધતી જશે, તેથી જ્ઞાનની દિશા ગ્રહણ કરવાની શકિતમાં પણ વધારે થયો છે. પહેલાં એવો જમાનો હતો કે લેકે બે પડિકદમણમાં સ્તવન, સજઝા અને ભજનો ભણવાથી પણ સંતોષ માનતા અથવા વધારેમાં વધારે પાંચ સુધી કે માર્ગોપદેશિકાના બે ભાગ, હિતોપદેશ, રઘુવંશથી પિતાને સંસ્કૃતના નિષ્ણાત સમજતા; પણ હવે તે તે બિલકુલ સાધારણ વાત થઈ છે. એટલા જ્ઞાનથી જરાય ચાલે નહિ. દશ-દશ કે બાર-બાર વર્ષના છાત્રો પણ તે કરતાં વધુ યોગ્યતા મેળવે છે અથવા મેળવવાની ભાવના રાખે છે. બીજી વાત એ છે કે જૈન સમાજમાં શિક્ષણ સંસ્થા, ગ્રંથ પ્રકાશન સંશોધન સંસ્થાઓ પણ પહેલાં કરતાં ઘણું વધી છે, અને તેમાં દરવર્ષે સારો સરખો વધારો થતો જાય છે. મુનિરાજે કે જેઓ પહેલાં સારસ્વત જેવું વ્યાકરણ ભણી એક-બે ગદ્ય-પદ્ય ચત્રિ કાવ્ય વાંચી ઘણો સંતોષ માનતા અને પજુસણમાં કલ્પસૂત્રની સુબાધિકા જેવી ટીકા વાંચી અભિમાન ધારણ કરતા, તેમનામાં સમયના પ્રભાવે હૈમવ્યાકરણ, તેની લઘુ-બહવૃત્તિ, સન્મતિતર્ક, સ્યાદ્વાદરત્નાકર જેવા વ્યાકરણ-ન્યાયના ગ્રંથ, કાવ્યાનુશાસન, હીરસૌભાગ્ય જેવા કાવ્યો વાંચવા-ભણવાની તથા જનેતર દર્શન-કાવ્યના ગ્રંથ ભણવાની તમન્ના જાગી છે. વિદ્વાનોને સમાગમ કરવાની, શાસ્ત્રાર્થો કરવાની વૃત્તિ ઉદ્ભવી છે. એ બધું જોતાં આપણી સમાજમાં સારા સારા સંસ્કૃત પ્રાકૃત જેન જૈનેતર દર્શનના પ્રથે ભણાવી શકે, તેનું For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597