________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:૪૮: શ્રુતબોધ ઉપર જૈન ટીકા સાચા વિકાને સાહિત્યવિદ્યાના ક્ષેત્રમાં ઉત્સાહ અને નિષ્પક્ષપાત વૃત્તિથી કામ કરે છે. સાહિત્યની સેવા કરવામાં તેઓ જાતિ દેશ ધર્મ કે પ્રાન્તના ભેદને આડા આવવા દેતા નથી. “હંમેશાં ઉદારવૃત્તિથી સાહિત્યને ઉત્કર્ષ સાધવો,” એ તેમનું જીવનધ્યેય હોય છે. કેટલીક સદીઓથી ભારતવર્ષમાં સાંપ્રદાયિક ઝેર વ્યાખ્યું છે, તેના પરિણામે એક બીજાના સાહિત્યની ઉન્નતિ સાધવાને બદલે અવનતિ અને હાનિ પહોંચાડવા પ્રયત્ન થયા છે, એમ આપણને જૂનો ઈતિહાસ જણાવે છે. એ બીના ભારતીય વિદ્વાને માટે નામોશીભરી કહેવાય. અસ્તુ.
કોઈ પણ સંપઢાયના કોઈ પણ વિષયની સાહિત્ય સેવા કરવામાં જૈન વિદ્યાને સદીઓથી ઉદાર રહ્યા છે. તેના પરિણામે સાતમી સદીથી લઈ અઢારમી સદીના સંખ્યાબંધ જૈન સાધુ તથા શ્રાવક વિદાએ જૈનેતર (વિદિક તથા બૌદ્ધ) સાહિત્ય ઉપર ગંભિર ચમત્કારી અને મહત્ત્વપૂર્ણ ટીકા ટિપ્પણ ભાગ્ય અને વિવેચને કર્યા છે. મારી પાસે લગભગ સે જૈનેતરના વિવિધ ગ્રન્થ ઉપર જૈન વિદ્વાનોએ ટીકા આદિ બનાવ્યાં છે, તેની યાદી છે. અત્યારે પણ પાટણ, ખંભાત,
For Private and Personal Use Only