________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાચીન પુસ્તકો અને પુસ્તકાલયે ૩૫૦ તેમ ભારતદેશ હજારો વર્ષોથી સભ્ય-સંસ્કારિત હતો એટલે રાજ્ય દરબાર વ્યાપાર વિગેરેના વ્યવહારમાં તેમ શિક્ષણ વિગેરે બીજા વિષયના પંથે ભણવા-ભણાવવામાં અગર તે પુસ્તક લખવા-લખાવવાને ઉપયોગ જરૂર થતો હશે. પણ બહોળા પ્રમાણમાં પુસ્તકે અને પુસ્તકાલયોની પ્રવૃત્તિ તે બુદ્ધ અને મહાવીરૂવામીના નિર્વાણ પછી કેટલીક શતાબ્દિ પછી ચાલુ થઇ છે, એમ મારું માનવું છે; તેમ ધર્મના મૂળ ગ્રંથો પણ પાછળથી પુસ્તકમાં લખાણ છે.
: ધર્મને પુસ્તકમાં લખવાની પ્રથા : ધર્મના મુખ્ય-માન્ય ગ્રંથે પુસ્તકમાં નહિ લખવાની પદ્ધતિ ઘણા વર્ષો સુધી ચાલી. જેન, હૈદ્ધ અને વૈદિક સંપ્રદાયમાં મોટે ભાગે ધર્મગઓ ત્યાગી, સાત્ત્વિક અને નિઃ પ્રહ હતા. સમય જતાં ધર્મને ફલા સામાન્ય-વિશેષ પ્રજામાં તથા રાજાઓમાં કરવાની વૃત્તિ તેમનામાં જાગી. દુકાલ વિગેરે કુદરતના કાપથી લે કેની મરણશકિત પણ કુંઠિત થવાથી મુખાઝ ધર્મશાસ્ત્રો ભૂલાતાં ગયાં. તેમાં અશુદ્ધિઓ વધતી ગઈ. નવા નવા ગ્રંથ બનાવવાની તમન્ના પણ ઉદ્ભવી. આવ્યાત્મિક દષ્ટિ શિથિલ થઈ અને કીર્તિની કામના પૂર્ણ કરવા સાહિત્યશા ત્રિાર્થની આવશ્યકતા ઊભી થઇ. આ બધાં કારણેથી ધર્મગ્રંથે જે પહેલાં માટે જ યાદ રાખતાં, તેને પુસ્તકમાં લખી-લખાવી તેની એક વા અનેક કાપીઓ કરાવી. તે પ્રમાણે સાહિત્યનો પ્રચાર કરવાની રીતિ ચાલુ થઈ. જે સંપ્રદાયમાં સ્મરણશકિત પહેલાં ખૂટી, તેમાં ધર્મશાસ્ત્રને પુસ્તકમાં લખવાની પ્રથા પહેલી શરૂ થઈ અને જેમાં સ્મરણશકિત
૧ “મૃચ્છકટિક' નાટકમાં લખ્યું છે કે વસંતસેના વેશ્યાને ત્યાં વાંચવા માટે “કામશાસ્ત્રનું પુસ્તક એક રૂમમાં રખાયું હતું. રાજાઓ કથા-ધર્મના પુસ્તકે પુરોહિતો પાસે સાંભળતા, એ જૂની રાતિ છે.
For Private and Personal Use Only