Book Title: Himanshuvijayjina Lekho
Author(s): Himanshuvijay, Vidyavijay
Publisher: Vijaydharmsuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 554
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આજનું શિક્ષણ પરેe શિક્ષણનું લક્ષણ મહારી નાનકડી મતિ પ્રમાણે તે શિક્ષણનું લક્ષણ “કર્તવ્યનું જ્ઞાન અને પરતંત્રતાથી મુકત થવું " છે હું ધારું છું કે આ લક્ષણમાં કઈ વા લઈ શકે તેમ નથી. પરતંત્રતાના ભેદો જુદી જુદી દૃષ્ટિએ અનેક પ્રકારના હોઈ શકે, તેમ તેના અનુકૂલ કે પ્રતિકૂલ કારણે પણ અનેકવિધ હેય; પરન્તુ શિક્ષણથી બંધન મુક્ત થવાની લાયકાત તે આવવી જ જોઈએ. પછી ભલે કોઈ જાણી જોઈને પરતંત્રતાથી મુક્ત ન થાય, તે માટે ઉપાય ન કરે, તે વાત જુદી છે. શિક્ષણથી કર્તાજ્ઞાન અને બંધનથી છૂટવાની લાયકાત નથી આવતી, તે શિક્ષણ શિક્ષણ નથી, તે જ્ઞાન જ્ઞાન નથી, તે તે ફકત શરીર, મન અને સમયને બરબાદ કરનારે, ધનનો નાશ કરનાર એક ભસમગ્રહ જ કહેવો જોઈએ. સૂર્ય ઉગ્યા પછી અંધારૂં ન મટે, અગ્નિથી ટાઢ ન ઓછી થાય અને શીતલ નીરથી શાંતિ ન મળે તે પછી ગજબ જ કહેવાય ને ! પ્રાચીનકાળનું શિક્ષણ શિક્ષણ સંબંધી ઉહાપોહ કરતાં આપણે પ્રાચીનકાળના શિક્ષણ તરફ દષ્ટિ તો જરૂર કરવી જોઈએ. દરેક વસ્તુમાં પૂર્વના કાળની થોડી ઘણી યોગ્ય મદદ જરૂર લેવી પડે છે, અથવા લેવી જોઈએ. જુના અને નવા બને કાળના ગુણદેષનો વિચાર કર્યા પછી જે પેજના ઘડાય છે તેમાં સંગીનતા અને સુંદરતા વધુ હોય છે, એમ મહારૂં માનવું છે. એટલે જૂને રષ્ટિને ઇતિહાસ છે એટલે જ જુને લગભગ શિક્ષણને પણ છે. દરેક દેશ કે કાળમાં થોડા ઘણા અંશે શિક્ષણની For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597