________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: પરે:
“સ્યાદ્વાદમંજરીના ન્યા
'
અહીં ન્યાય શબ્દનો અર્થ દર્શનશાસ્ત્ર વિદ્યા ઈન્સાફ અથવા ગતમ ઋષિનું ન્યાયદર્શન નથી, પણ ન્યાય' શબ્દથી “કહેવત” અર્થાત “ઉકિત " અર્થ સમજવાનું છે. જેમ “ધબીને કુતરે ઘરને નહિં અને ઘાટનેએ નહિ” તેમ.
આવા ન્યાયે નાનાં મોટાં વાકયોમાં દરેક દેશ અને તમામ ભાષાઓમાં હોય છે. જુદા જુદા પ્રસંગો પર કહેવાથી કે લખવાથી આવાં વાક સૂત્રની જેમ પ્રસંગ ઉપર સચોટ અસર કરી શકે છે. આ ન્યાયમાં શબ્દો છેડા અને અર્થ વધારે હોય છે. કેટલાક શબદો અધ્યાહારથી સમજવાના હોય છે. પણ તે કહ્યા સિવાય જ પ્રસંગને લઈને અર્થ સમજાય છે. એ પણ એક ખૂબી છે.
સાહિત્ય અને લેક દષ્ટિએ આવા ન્યાયની કિંમત ઘણી હોય છે. સામાન્ય જનતાથી લઈ વિશેષજ્ઞ સુધી તમામ લેકે આવા ન્યાને
૧ સાહિત્ય, વડોદરા પૃ. ૨૨, અંક ૮-૯.
For Private and Personal Use Only