________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિલપના બે જૈન ગ્રંથ પાંચમા પરિચ્છેદને અંતિમ ભાગइति श्रीसैद्धान्तिकवसुनन्दिविरचिते प्रतिष्ठासारसंग्रहे
મ: gfછેર /
આલોચના
વસ્યુસારપયરણ
પહેલે ગ્રંથ વઘુસાર પયરણ (વાસ્તુસાર પ્રકરણ) છે. આ ગ્રંથમાં સહુ પહેલાં મંગલાચરણ કરી ધારગાથા લખી છે. આમાં ત્રણ પ્રકરણે પાડવામાં આવ્યા છે. પહેલું ગૃહ પ્રકરણ છે, આમાં ઘર કેમ બનાવવું ? તે વિષે ટૂંકમાં મહત્ત્વની ચર્ચા કરી છે, જે વર્તન માનમાં પણ શિલ્પશાસ્ત્રીઓને કદાચ ઉપયોગી નીવડે તેમ છે, બીજા પ્રકરણમાં બિંબપરીક્ષા છે. મૂર્તિ કેવી બનાવવી ? તેના અંગ પ્રત્યગેનું માપ કેવડું રાખવું ? શસ્ત્રાદિ કેવી રીતે એને કેવા રાખવા ? તે વિષે ઉલ્લેખ કર્યો છે. ત્રીજું પ્રાસાદ પ્રકરણ છે. આ પ્રકરણમાં મંદિર બનાવવા વિષે શિલ્પશાસ્ત્રની પરિપાટી બતાવી છે. પહેલામાં ૧૫૧ મૂલ ગાથા છે, બીજામાં પ૩ અને છેલા પ્રકરણમાં ૭૦ ગાથા છે. સંપૂર્ણ ગ્રંથની કુલ ૨૭૪ ગાથા છે. ભાષા પ્રાકૃત છે. જે કેટલેક સ્થળે ઉપલબ્ધ પ્રાકૃત વ્યાકરણના સંધી-વિભકિત વિગેરે નિયમોથી વેગળી પડે છે. આમાં શિલ્પના અનેક વિષય સંબંધી ઉલ્લેખ છે.
મૂર્તિ અને ચિત્ર બનાવવામાં સૂચના ખાસ ધ્યાનમાં રાખવા લાયક છે કે કઇ પણ મૂર્તિ કે ચિત્રમાં શસ્ત્ર માથાના વાળથી ઉચુ થવું ન જોઈએ, કેમકે તે અશુભ છે, અને ભદું પણ દેખાય છે.
For Private and Personal Use Only