________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:૫૬ : જેસલમેરના ભંડારોના જુના
ગ્રન્થોના ફેરા." સાહિત્યના સર્જન, વર્ધન અને રક્ષણ માટે મધ્યકાલમાં મારવાડે ફાળો આપી ઘણી જ સારી નામના મેળવી છે. તેમાં પણ જેસલમેરનું નામ આ કાર્યમાં મોખરે ચડ્યું છે. તેથી અનેક વિષયના સંસ્કૃત, પ્રાકૃત, માગધી, અપભ્રંશ, શાસેની, પાલી, ગુજરાતી, મારવાડી અને હિન્દી ભાષાના જુના ગ્રન્થ તાડપત્ર, કાગળ વસ્ત્રાદિ ઉપર સુન્દર યતના પૂર્વક લખેલા આજ સુધી પણ જેસલમેરના પુનિત ભંડારમાં ઉપલબ્ધ છે. અજૈન ગ્રન્થ કે જે અન્ય સ્થળે નથી મળતા, તેવા ગ્રન્થ પણ અહિંના ભંડારમાં અસ્તિત્વ ધરાવે છે. પહેલાં તે દરેકની જેમ જેસલમેરના ભંડારાધિકારીઓ અત્યન્ત સંકુચિત ચિત્તવાલા હેવાથી તે પવિત્ર ગ્રન્થનાં દર્શન કરવા પણ સાહિત્યસેવીઓને દુર્લભ હતા. પરંતુ જમાનાની હવાથી તે સંકુચિતતા ઓછી થતી જાય છે. તેથી હજારો માઈલ દૂરથી યુરોપીયને અને ભારતી વિદ્રાને મારવાડ જેવા શુષ્ક પ્રદેશમાં મુસાફરીની વિડંબના વેઠીને
૧ જૈન ભાવનગર, ૨૬ એપ્રીલ ૧૯૩૧
For Private and Personal Use Only