________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિલપના એ જૈન ગ્રંથા
૪૨૩
તે થઇ શકે નહિ, છતાં બની શકે તે પરિશ્રમ કરીને પણ છાયા આપવી શ્રેયસ્કર છે. ઉપયોગી નેટ પ્રસ્તાવના વિગેરેથી વિલંબે પણ સુંદર રીતે આ ગ્રંથનું સ ંપાદન થાય તે એક નવા પ્રકાશ પાડી શકે.
પંડિત ભગવાનદાસજી જૈન એક પ્રતિ ઉપરથી આની નકલ કરીને તેને હિન્દી અનુવાદ કરે છે, કેટલાક ઉપયોગી પરિશિષ્ટો પણ આપવા તે વિચાર કરે છે. પતિજીનુ આ કાર્ય અનુમોદન કરવા લાયક છે. છતાં પહેલાં જે આ મૂલગ્રંથ સુંદર અને આદર્શ રીતે સંપાદિત થાય તે વધુ સારૂં, એવી મારી માન્યતા છે.
પ્રતિષ્ઠાસારની આલેાચના
આ ગ્રંથના કર્તા સૂરિવસુદિ નામના જૈન સાધુ છે. તે શ્રી હેમચંદ્ર કરતાં પણ પહેલાના હાય એમ લાગે છે, પ્રસ્તુત ગ્રંથ સંસ્કૃત ભાષામાં છે. આ ગ્રંથ પાંચ પરિચ્છેદમાં પૂરા થયા છે. તીર્થંકર, ચક્ષ યક્ષિણી આદિ દેવીદેવતાઓની મૂર્ત્તિનાં લક્ષણા પ્રકારો અને મ ંદિર નિર્માણ સંબંધી આમાં સંક્ષેપમાં સાધારણ રીતે વર્ણન ઠીક કર્યું છે.
મંગલાચરણમાં પહેલા સિદ્ધ ( મુકત ) અને પછી આદિદેવ ( ઋષભદેવ-જૈનેાના પહેલા તીર્થં કર ) ને વંદન કરી બાકીના મહાવીર ભગવાન્ સુધી ૨૩ તીર્થંકર પછી શાસ્ત્ર અને ગુરૂને નમસ્કાર કર્યો છે.
આ ગ્રંથ પૂર્વના ગ્રંથના આધારે લખ્યો છે. પાતાની નિર્મૂલ કલ્પનાથી લખ્યા નથી તે બતાવવા માટે ગ્રંથકારે આ વિષયના ગ્રંથાના એટલાક નામેા લખે છે તે આ છેઃ——
For Private and Personal Use Only