________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિદ્ધહેમચંદ્ર વ્યાકરણને રચના સવંત્ ૫૦૦ સિદ્ધરાજ જયસિંહે શ્રી હેમચન્દ્રાચાર્યને પ્રાર્થના કરી ગુજરાતના નૈરવને વધારવા માટે વિ. સં. ૧૧૯૩ ના છેડા ઉપર સિદ્ધહેમચન્દ્ર શબ્દાનુશાસન નામનું વ્યાકરણ બનાવરાવ્યું અને વિ. સં. ૧૧૯૬ પછી સિદ્ધરાજે તેને અનેક રીતે પ્રચાર કર્યો. હમ–ન્યાસ વિગેરે વ્યાકરણની ટીકા પંથે તેની પાછળ બન્યા છે.
આ લેખમાં હૈમ બન્યાસ, હેમકાવ્યાનુશાસન અને દ્વયાશ્રય કાવ્યને પણ પ્રસંગે પાર વિચાર કરવામાં આવ્યો છે.
આ વિષય વિષમ છે. સાધનો ઓછાં છે, તેથી ઘણું ખરૂ કામ કલ્પનાથી લઈ મારી અત્ય૫ મતિથી મેં અહીં ટૂંકમાં વિચાર કર્યો છે. મારો મત દર્શાવ્યો છે, તે સંપૂર્ણ સાચો જ છે એમ હું દાવો નથી કરતા. સજ્જડ યુક્તિ અને પ્રમાણેથી મારા મતનું ખંડન કરવા હરકેઈને હું પ્રાર્થ છું; તેનું સાચી રીતે ખંડન થતાં હું મારા મતને ફેરવવા વિલંબ કે સંકેચ નહિ કરું એવી ખાત્રી આપું છું. ગુજરાતના સાક્ષરો એ વિષે વધુ મૌલિક અને સ્પષ્ટ વિચાર પ્રકટ કરે એમ ઈચ્છી વિરમું છું.
For Private and Personal Use Only