________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અણહિલપુર-પાટણને ભૂતકાળ
૩૨૯ છે. તથા ફેટ પણ લઈ શકાય છે. આ જુના કિલ્લામાં કોતરકામ કે શિલાલેખે જણાતા નથી. આગળના ભાગમાં એક સ્થળે મજીદ જે નાને આકાર છે, જે મુસલમાની બાદશાહના વખતમાં ઘણા ખરા હિન્દુ-જૈનેનાં સ્થાનમાં મુસલમાને કરતા હતા, અથવા પોતાના સ્થાનની રક્ષાની ખાતર જૈન અને હિંદુઓજ તેમ કરતા હતા. જુનાં અવશે
કાળબળના યોગે કે ક્રૂરતાને લીધે જૂનું પાટણ ભૂતકાળમાં પ્રવેશ કરી ઘણે ભાગે સ્મૃતિને જ વિષય બન્યું છે, તેમ છતાં સદ્ભાગ્યે બચેલાં તેનાં કેટલાંક અવશેષ વર્તમાનમાં પ્રેક્ષકોને ભૂતકાળના પાટણને પ્રત્યક્ષ અનુભવ કરાવી રહ્યાં છે. આ સ્થાનમાંથી ઘણું મેં જોયા છે અને તે વિષે થોડું સાંભળ્યું અને નોંધ્યું પણ છે. પણ હજુ તેને વિશેષ પરિચય મેળવીને લખાય તો ઠીક, એમ લાગે છે. રાણકી વાવ
આ એક વાવ છે, એમાં શિલ્પનું કામ પત્થર ઉપર સુંદર રીતે કરેલું છે. આનું પાણી મેલું અને ગંદુ છે, છતાં કહેવાય છે કે ઉટાંકીઓના રાગ ઉપર અકસીર દવાનું કામ કરે છે. દૂર દૂર સુધી અહીંનું પાણી જાય છે. કહેવત છે કેઃ રાણકી વાવ ને દામોદર ક, જે ન જુવે તે જીવત મુવ.” રાણુંને મહેલ
સહસ્ત્રલિંગ તળાવનું અત્યારે નામનિશાન ક્યાંય નથી, પણ તેના સ્થાનનું અનુમાન જે સ્થળે થાય છે, તે ક્ષેત્રની વચમાં ટેકરી ઉપર એક ઇમારત છે. એ સિદ્ધરાજને હવાઈ મહેલ હતું એમ કહેવાય છે. અત્યારે મુસલમાની તેમાં કરે છે. ઈમારત નાની, જીર્ણશીર્ણ છે.
For Private and Personal Use Only