________________
( શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથ
શંખેશ્વર તીર્થનો મહિમા અપરંપાર છે. શંખેશ્વરમાં શ્રી શંખેશ્વર પાર્થ પ્રભુની પ્રતિમાજી યુગો જૂની હોવાથી અત્યંત પ્રભાવક છે આ સ્થળ પવિત્ર અને જાગૃત છે. શંખેશ્વરમાં રોજ હજારો યાત્રિકોની અવર-જવર રહે છે. શંખેશ્વરમાં અનેક ધર્મશાળા-ભોજનશાળા આવેલી છે. શંખેશ્વર તીર્થના દર્શને દેશ-વિદેશથી યાત્રિકો આવતાં – જતાં હોય છે. એ
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ આવેલ છે. આ સંકુલમાં ભવ્ય જિનાલય કલાકારીગરીથી સમૃધ્ધ છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પરમાત્માની પ્રતિમાજીઓ આ જિનાલયમાં બિરાજીત છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના સંકુલમાં ધર્મશાળા અને ભોજનશાળાની ઉત્તમ સગવડ છે. તેમજ સાધુ-સાધ્વીજી ભગવંતોના અલગઅલગ ઉપાશ્રયો આવેલા છે. આ
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયની ફરતી ભમતીમાં ઓગણચાલીસમી દેરીમાં શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે. આ પ્રતિમાજી સપ્તફણાથી અલંકૃત છે તેમજ પદ્માસનસ્થ છે. આ પ્રતિમાજીની ઊંચાઈ૩૧ ઈંચની
મહિમા અપરંપાર પુનામાં સ્વારગેટની પાસે, સાંઈબાબા મંદિરની પાસે આદિનાથ સોસાયટી આવેલી છે. આ સોસાયટીમાં શ્રી આદિનાથ પ્રભુનું જિનાલય આવેલું છે. આદિનાથ સોસાયટીમાં જયંતિભાઈ શાહ, તેમના પત્ની રસીલાબેન તથા પુત્ર દીપક અને તેની પત્ની માધવી રહે.
જયંતીભાઈ અને રસીલાબેન નિયમિત આદિનાથ પ્રભુની સેવાપૂજા કરવા
શ્રી વિજયચિંતામણિ પાર્શ્વનાથ