________________
ઈન્સ્પેક્ટર સાથે જીપમાં બેસી ગયા. ધરમશીભાઈના મોટા પુત્રએ ગામમાં રહેતા પોતાના કાકાને ત્યાં ફોન કરીને આ અંગે જાણ કરી દીધી.
ધરમશીભાઈના ભાઈ રાયચંદભાઈ પણ ગભરાટ અનુભવતાં પોલીસ સ્ટેશન જવા નીકળી ગયા. તેઓ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર (શંખેશ્વર)માં બિરાજમાન શ્રી ભુવન પાર્શ્વ પ્રભુની ક્તિ અને જાપ આરાધના કરતાં હતા. તેઓ મનોમન બોલ્યા. મારા ભાઈને શામાટે પોલીસ ઉપાડી ગઈ છે તેની ખબર નથી પરંતુ આ વિઘ્ન માંથી નીકળી જઈશું તો તરત જ દર્શનાર્થે આવીશું.’
રાયચંદભાઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા. ત્યાં પોલીસ ઈન્સ્પેક્ટર ધરમશીભાઈને નકલી નોટો અંગે પૂછ પરછ કરી રહ્યો હતો. ધરમશીભાઈએ જણાવ્યું કે નકલી નોટો અંગે અમને કશી જાણ નથી. તે કેવી હોય છે તે પણ જાણતા નથી. અમે તો સીધા સાદા વેપારી છીએ.........
રાયચંદભાઈએ પણ તેમા સૂર પુરાવ્યો.
આમ પોલીસ ઈન્સ્પેક્ટર ઉલટતપાસ કરી રહ્યો હતો ત્યાં એક પોલીસ કર્મચારી આવ્યો અને કહ્યું : ‘સાહેબ, આપણે ખોટી વ્યક્તિને લઈ આવ્યા છીએ. આમની દુકાનની બાજુમાં રેડીમેઈડ કાપડની દુકાન છે ત્યાં નકલી નોટો જોવા મળી હતી તેમ જાણવા મળેલ છે.’
પોલીસ ઈન્સ્પેક્ટરે ધરમશીભાઈ અને રાયચંદભાઈની માફી માંગી અને પાછા મોકલી દીધા અને ખરા ગુન્હેગારને પકડી પાડવામાં આવ્યો.
ધરમશીભાઈ અને રાયચંદભાઈએ શાંતિનો શ્વાસ લીધો રાયચંદભાઈએ ધરમશીભાઈને શંખેશ્વર જવાની વાત કરી. તેઓ તેમાં સહમત થઈ ગયા.
અને બીજાજ અઠવાડિયે બન્ને પરિવારના સભ્યો મેટાડોર કરીને શંખેશ્વર આવ્યા ત્યાં ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની તથા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા પૂજા કરી તેમાંય વિશેષ કરીને શ્રી ભુવન પાર્શ્વનાથ પ્રભુની અનન્ય સેવા ભક્તિ કરી. ધરમશીભાઈને પણ શ્રી ભુવન પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે અનેરી શ્રધ્ધા બેસી ગઈ.
૨૦૧
શ્રી
ભુવન પાર્શ્વનાથ