________________
એક મંત્રનો જાપ કરવો. મંત્ર જાપથી વાતાવરણમાં પવિત્રતા ફેલાય છે. મંત્રની સાધના, આરાધના કે ઉપાસના દ્વારા વિશિષ્ટ શક્તિ ઉત્પન્ન થાય છે. અને તે અમુક અમુક પ્રકારનું કાર્ય કરે છે. આ કાર્ય એટલું ઝડપથી થાય છે તેની આપણને કલ્પના પણ આવી શકે નહિ. છતાં દૃષ્ટાંતથી કહેવું હોય તો એમ કહી શકીએ કે જેમ ઈલેકટ્રીક સ્વીચ દબાવીએ અને લાઈટ (દીવો) થાય છે તેમ સિધ્ધમંત્રનો પાઠ કરીએ કે ધારેલું પરિણામ આવીને ઊભું રહે છે.
ઉપરોક્ત ત્રણેય મંત્રોમાંથી કોઈપણ એક મંત્રને અંગીકાર કરીને દરરોજ વહેલી સવારે નિશ્ચિત સમયે અને સ્થાન પર બેસીને મંત્ર જાપ કરવા. મુખ પૂર્વ દિશા તરફ રાખવું. મંત્રજાપ કરતી વખતે મનની સ્થિરતા રહેવી જરૂરી છે. મંત્ર આરાધના વખતે ધુપ-દીપ અખંડ રાખવા. સામે પાર્શ્વનાથ પ્રભુની છબી રાખવી અથવા જિનાલયમાં બેસીને મંત્ર આરાધના કરવી. મંત્ર આરાધનાથી સર્વ પ્રકારના મંગલ જોવા મળે છે.
સંપર્કઃ
શ્રી સોગઠિયા પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર મંદિર ઘંઘવાડીની બાજુમાં, મુ. નાડલાઈ. તા. દેસૂરી, જી. પાલી, વાયા રાણી (રાજસ્થાન).
શ્રી સોગઠિયા પાર્શ્વનાથ
૨૩૮