________________
ઉવસગ્ગહર સૂત્રમાં જે પાર્શ્વ નામ વિરાજતું, જે પ્રભુના નામથી બડુ કર્મ મચ્છર લાગતું, વીજાપુરમાં વાગે વાજા સ્ફલિંગ પારસ છે રાજા, ‘સ્કુલિંગ' પારસના ચરણમાં , તન મન ધન અર્પણ સદા.
ઉવસગ્ગહર' માં સૂચિત ફલિંગ પદથી સ્ફલિંગ પાર્શ્વનાથ નામ પડ્યું છે. પૂર્વે નેપાળમાં સ્ફલિંગ પાર્શ્વનું મંદિર હતું. અત્યારે ફક્ત વીજાપુરમાં જ નૂતન તીર્થ છે.
સહુ કર્મગંજી કાજે જે અગ્નિ સ્ફલિંગ સમ ઝલકતા, ઉવસગ્ગહર ને નમિઉણથી જે પ્રભુ સૂચિત થતા, વિજાપુરમાં વિરાજતા વીતરાગી પારસ માહરા, તે “સ્કુલિંગ' પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી સ્કૂલિંગજી પાર્શ્વનાથ ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણો કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદૃશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાસ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી.
શ્રી સ્કુલિંગજી પાર્શ્વનાથ
૨૫૬