________________
વ્યવહાર નહોતો.
કંપનીના પરચેઝ ઓફિસરે રવિચંદભાઈને સીધો પાંચ લાખનો ઓર્ડર રવિચંદભાઈએ આપેલા ભાવ પરથી આપ્યો. અને તાત્કાલિક માલ પહોંચાડી દેવા જણાવ્યું.
રવિચંદભાઈને ઓર્ડર તો મળ્યો પરંતુ તેને ઉધારીમાં માલ કોણ આપે? રવિચંદભાઈ મુંઝાયા. શું કરવું તે પ્રશ્ન થઈ પડ્યો. તેમની પાસે ઘરમાં માત્ર રૂા. દસ હજાર જેવી રકમ હતી. પરંતુ તેઓ હિંમત ન હાર્યા. તેઓ એ દિવસે સાંજે હોલસેલર વેપારી પાસે ગયા અને પાટણની ઓળખાણ કાઢીને ક્રેડીટ પર માલ માંગ્યો. જયારે તેઓ આ વાત કરવા માટે ગયા ત્યારે શ્રી મહિમા પાર્શ્વનાથ પ્રભુનું રટણ ચાલું જ રાખ્યું.
અને રવિચંદભાઈની ઈચ્છા ફળિભૂત થઈ. હોલસેલર વેપારીએ પાંચ લાખનો માલ પંદર દિવસની ક્રેડીટ પર આપવા રાજી થયા. જ્યારે પેલી કંપનીએ આઠ દિવસમાં પેમેન્ટ કરી દેવાની વાત કરી હતી.
આમ રવિચંદભાઈના પાસાં સવળાં પડ્યા.
બીજે દિવસે રવિચંદભાઈએ તે કંપનીને પાંચ લાખના માલની ડીલેવરી કરી. અને પોતાના પુત્ર તુષાર ફાર્મા ડીસ્ટ્રીબ્યુટર્સ નામની પેઢીના લેટરપેડ, ચલનબુક, બેંકમાં ખાતું, બીલબુક, પહોંચ બુક વગેરે છપાવી નાખ્યું.
તે કંપનીએ ત્યારે જ આઠ દિવસ પછીનો ચેક પણ રવિચંદભાઈને આપી દીધો. આ લેતી-દેતીમાં રવિચંદભાઈને દસ ટકા જેટલો નફો મળતો હતો.
આઠ દિવસ બાદ ચેક જમા કરાવ્યો..
બેંકમાં ચેક જમા થઈ ગયો. પછી રવિચંદભાઈએ હોલસેલર વેપારીને નિર્ધારિત તારીખનો ચેક આપી દીધો. આમ શ્રી મહિમા પાર્શ્વનાથ પ્રભુની કૃપાથી રવિચંદભાઈનો પહેલો સોદો સફળ થયો. તેમણે હજુ નોકરી છોડી નહોતી. તેમણે ખુલ્લા મને આ થયેલા સોદાની વાત પોતાના શેઠને કરી હતી. શેઠ નિખાલસ સ્વભાવના હતા. તેઓ રાજી થયા.
રવિચંદભાઈ નોકરીનો સમય પૂરો થયા પછી બજારમાં ફરવા
શ્રી મહિમા પાર્શ્વનાથ
૨૭૦