Book Title: 108 Parshwanath Tirth Samput Part 02
Author(s): Prashantshekharvijay
Publisher: Ugamraj Bhanvarlal Shahji

View full book text
Previous | Next

Page 322
________________ પરમ પ્રભાવક શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહા મહાપ્રાસાદ - જિનાલય આવેલું છે. વિક્રમ સંવત ૨૦૪૫ મહાસુદ પાંચમન દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય સુબોધ સૂરિવરજી મહારાજાના વરદ હસ્તે આ મહાપ્રાસાદ માં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા – પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ ૫૦ વિઘા ધરતી પર ૮૪૦૦૦ ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પદ્મ સરોવરની સ્મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યત્રાનો લાભ યાત્રાળુઓને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્રાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવત ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલયની ફરતી ભમતીમાં બ્યાંસીમી દેવકુલિકામાં શ્રી કલ્હરા પાર્શ્વનાથ પ્રભુજી બિરાજમાન છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ અને શ્વેત પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે. મંત્ર આરાધના (૧) ૐ હ્રીઁ મૈં કલ્હરા પાર્શ્વનાથાય નમઃ । ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીઁ કલ્હરા પાર્શ્વનાથાય નમઃ। ૐૐ હ્રીં શ્રીં શ્રીં શ્રÆ કલ્હરા પાર્શ્વનાથાય નમઃ । (૨) (3) °° ઉપરોક્ત ત્રણેય મંત્રો અત્યંત પ્રભાવક છે. દ૨૨ોજ વહેલી સવારે ઊઠીને નિશ્ચિત સમયે તથા સ્થાન પર આસન ગ્રહણ કરીને મંત્રજાપ કરવા. ચિત્ત શાંત અને સ્થિર રાખવું જરૂરી છે. મંત્ર જાપ દરમ્યાન ધૂપ-દીપ અખંડ રાખવા. દ૨૨ોજ એક માળાતો અવશ્ય કરવી. વસ્ત્રો શુધ્ધ ધારણ કરવા. મંત્ર જાપ આરાધનાથી કષ્ટો થાય છે. તેમજ માનસિક શાંતિની પ્રાપ્તિ થાય છે. સંપર્કઃ શ્રી ઝ્હારા પાર્શ્વનાથ જૈન દેરાસર શ્રી માળી, મુ.પો. ભરૂચ, ગુજરાત - ૩૯૨૦૦૧ ફોન ઃ ૫૭૦૬૪૧ Kono test ૨૯૮

Loading...

Page Navigation
1 ... 320 321 322 323 324