________________
નગરના વૈભવથી લલચાઈને અનેક શાસકોએ તેનું આધિપત્ય પ્રાપ્ત કરવા જંગો ખેલ્યા હતા.
શ્રીમાળી પોળમાં શ્રી કલ્હારા પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય પ્રાચીન છે. આ પાર્શ્વનાથ “શ્રી કલ્યાણ પાર્શ્વનાથ” થી પણ પ્રસિધ્ધ છે. શ્વેત વર્ણના આ પાર્શ્વનાથ અતિ પ્રાચીન અને મનોહર છે. અનેક પ્રાચીન રચનાઓમાં આ પાર્શ્વનાથને ‘કલ્હારા' નામથી ઓળખવામાં આવ્યા છે. | (૨) જૈન શાસ્ત્રો અનુસાર અશ્વમેઘ યજ્ઞ માટે તૈયાર થયેલ અશ્વ, શ્રી મુનિસુવ્રતસ્વામી દ્વારા પ્રતિબોધિત થઈ દેવલોક પામેલ અને તેમણે પોતાના આગલા જન્મના ઉધ્ધારક ભગવાન શ્રી મુનિસુવ્રતસ્વામીનું દેરાસર બંધાવ્યું હતું. સિંહલદ્વીપની સિંહલ રાજાની કુંવરી સતી સુદર્શનાએ પોતાના આગલા ભવમાં સમડી હોવાના જાતિ સ્મરણ ને કારણે આ તીર્થનો જીર્ણોધ્ધાર કરાવ્યો હતો.
ત્યાર પછી અહીં સંપ્રત્તિ રાજા, કુમારપાળ મહારાજા તથા અનેક પ્રસિધ્ધ શ્રેષ્ઠીઓએ જીર્ણોધ્ધાર કરાવેલ છે.
| શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના ગણધર ગુરૂ ગૌત્તમસ્વામીએ અષ્ટાબાદ તીર્થ પર રચેલા જગચિતામણિ સ્તોત્રમાં ભરૂચમાં બિરાજેલા શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનની સ્તુતિ કરેલ છે. જે આ તીર્થની પ્રાચીનતા સિદ્ધ કરે છે. અહીં બીજા ૧૧ મંદિરો છે. પાંચ દેરાસરો તો સાથે જ છે. અને જીર્ણોધાર ચાલી રહ્યો છે. અહીં અત્યંત સુંદર પ્રાચીન પ્રતિમાજીઓના દર્શન થાય છે. અહીંનું શ્રી આદિશ્વર ભગવાનનું જિનાલય પણ સુંદર છે. | હાઈવેથી શહેરની અંદર જતાં રેલ્વે પુલ નીચે તરત જમણી તરફ સ્ટેશન બાજુ વળીને જવું સહેલું છે. ધર્મશાળા અને ભોજનશાળાની સગવડ છે.
શ્રી પાર્શ્વ-સ્વતના હૈ ચમત્કારી વિભુ જો, જગતમેં પ્રખ્યાત હૈ | ભગુ કચ્છ, જૈનાબાદ જિનકે, સ્થાન અતિ વિખ્યાત હૈ || બિમ્બ અતિ પ્રાચીન હૈ, જો નગર કે પ્રિય તાત હૈ | ઐસે “શ્રી કલ્હારા પાર્થ' કો મેં, ભાવસે કરૂ વંદના .
યશ ને કીર્તિ ધારનારા છો તે થી યશોધરા. કલ્યાણ પારસ છો અને બીજું નામ છે પ્રભુ કલ્યારા, ભાગ્યશાળી ભરૂચને આબાદ કરે જૈનાબાદને ,
શ્રી લ્હારા પાર્શ્વનાથ
૨૯૬