Book Title: 108 Parshwanath Tirth Samput Part 02
Author(s): Prashantshekharvijay
Publisher: Ugamraj Bhanvarlal Shahji

View full book text
Previous | Next

Page 319
________________ વરદ હસ્તે તેની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી. તેમજ મહારાજા કુમારપાળે અહીં ઉતારેલી આરતી અમરતાને પામી હતી. તેજપાળ મંત્રીએ આ જિનાલયની પચ્ચીસ દેવકુલિકાઓને સુવર્ણ ધજાથી વિભૂષિત કરી હતી. તે સિવાય અન્ય ભવ્ય જિનાલયોના અહીં નિર્માણ થયાં હતા. મુસ્લિમકાળમાં અનેક જિનાલયોનો નાશ થયો હતો. તેમાંના કેટલાકનું મસ્જિદમાં રૂપાંતર થઈ ગયું. ભરૂચમાં આજે પ્રાચીન નવ જિનાલયો છે, તે જિનાલયોના જીર્ણોધ્ધારનું કાર્ય હાથ ધરવામાં આવેલ છે. શ્રીમાળી પોળમાં શ્રી કલ્હારા પાર્શ્વનાથ પ્રભુનું ભવ્યતાથી ઓપતું પ્રાચીન જિનાલય છે. આ પાર્શ્વનાથ ‘શ્રી કલ્હારા પાર્શ્વનાથ’ તરીકે જાણીતા છે. શ્વેત વર્ણ ધરાવતા આ પાર્શ્વ જિનની પ્રતિમાજી અતિ પ્રાચીન અને નયનરમ્ય છે. જૈનાચાર્યોની પ્રાચીન રચનાઓમાં એ પાર્શ્વનાથને ‘કલ્ટારા’ નામથી બતાવાયા છે. જ્યારે જૈનતીર્થોના ઈતિહાસમાં શ્રી ન્યાયવિજયજી મહારાજે પાર્શ્વનાથને ‘શ્રી યશોધરા પાર્શ્વનાથ' તરીકે વર્ણવ્યા છે. ભરૂચના આ શ્રી કલ્હારા પાર્શ્વનાથ પ્રભુની સ્તવના અનેક જૈનાચાર્યોએ મુક્તકંઠે પોતાના સાહિત્ય સર્જનમાં કરી છે. સંપર્ક : શ્રી કલ્હારા પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ, શ્રી મુનિસુવ્રત સ્વામી શ્વે. જૈન દેરાસર પેઢી, શ્રીમાળી પોળ. મુ. ભરૂચ - ૩૯૨૦૦૧ (ગુજરાત). સૌરાષ્ટ્રની ભૂમિ પર આવેલ દસાડા તાલુકાના જૈનાબાદ ગામમાં શ્રી કલ્હારા પાર્શ્વનાથ પ્રભુનું પ્રાચીન તીર્થ આવેલું છે. મૂળ આ ગામનું નામ જ કલ્હારા હતું. અને ૧૦૦૦ વર્ષ જૂનું આ ગામ છે. કેટલાંક કાળ પહેલાં દસાડાના દરબાદ જૈનખાનજીના ભાગે સાત ગામો આવેલાં તેમાં તેણે કલ્હારા ગામને પોતાનું મુખ્ય સ્થળ બનાવ્યું. ત્યારે જૈનખાનજીએ આ ગામનું નામ બદલીને ‘જૈનાબાદ’ રાખ્યું. અત્યારનું જિનાલય ૧૨૫ વર્ષ જૂનું છે. તે પહેલાં અહીં પ્રાચીન જિનાલય હોવાની સંભાવના છે. વિશેષ જાણકારી (૧) ભરૂચના ધીકતા બંદરી વ્યાપારે તેનું મહત્વ ખૂબ વધાર્યું હતું. લાટ દેશનું આ મહત્વનું નગર એક કાળે સમૃધ્ધિના શિખર પર બિરાજમાન હતું. આ Tipper શ્રી ઝ્હારા પાર્શ્વનાથ ૨૯૫

Loading...

Page Navigation
1 ... 317 318 319 320 321 322 323 324