________________
મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે. | શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલયની ફરતી ભમતીમાં એક્યાસી દેવકુલિકામાં શ્રી સ્થંભન પાર્શ્વનાથ પ્રભુજી બિરાજમાન છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ અને શ્યામ પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે.
મંત્ર આરાધના (૧) ૩ૐ હૂ શ્ર સ્થંભન પાર્શ્વનાથાય નમઃ | (૨) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં થંભન પાર્શ્વનાથાય નમઃ | (૩) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં થંભન પાર્શ્વનાથાય નમઃ |
શ્રી સ્થંભન પાર્શ્વનાથ પ્રભુના ઉપરોક્ત ત્રણેય મંત્રો અત્યંત પ્રભાવશાળી છે. દરરોજ વહેલી સવારે નિશ્ચિત સમયે અને આસન પર બેસીને, પૂર્વ દિશા તરફ મુખ રાખીને મંત્રજાપ કરવા. જાપ કરતી વખતે ધૂપ-દીપ અખંડ રાખવા. વસ્ત્રો શુધ્ધ ધારણ કરવા. સામે શ્રી પાર્શ્વ પ્રભુની છબી કે પ્રતિમાજી રાખવા મનને સ્થિર કરીને મંત્ર આરાધના કરવી. મંત્ર આરાધનાથી કોઈપણ વિપ્નો નષ્ટ થાય છે. સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે.
સંપર્કઃ શ્રી સ્તંભન પાર્શ્વનાથ જૈન દેરાસર મુ.પો. ખારવાડો, પો. ખંભાત જી. ખેડા, ગુજરાત - ૩૮૮૬૨૦ ફોન : (૦૨૬૯૮) ૨૨૧૮૧૬
શ્રી સ્થંભન પાર્શ્વનાથ
૨૯૩