________________
દ૨૨ોજ સેવા પૂજા કરતાં.
મુંબઈ પહોંચ્યા પછી રવિચંદભાઈએ ફામાસ્યુટીકલ્સની લાઈન પકડી. રવિચંદભાઈ તેમના એક સ્નેહીને ત્યાં જ નોકરી કરવા લાગ્યા હતા. રાત્રે તેઓ એકાઉન્ટ લખતા.
રવિચંદભાઈએ ફાર્માસ્યુટીકલ્સની આઈટમોનો અભ્યાસ કરવા માંડ્યો હતો અને એમાં જ આગળ વધવાની નેમ હતી. કઈ કંપનીને કેટલી જરૂરિયાત હોય છે તેની જાણકારી મેળવવા માંડ્યા.
સસરાને ત્યાં એક મહિનો રહ્યાં પછી દાદરમાં એક રૂમ ભાડે લીધી. હજુ પોતાના પરિવારના સભ્યોને મુંબઈ બોલાવી શકે તેવી સ્થિતિમાં નહોતા.
રવિચંદભાઈને શ્રી મહિમા પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે અનન્ય શ્રધ્ધા અને ભક્તિ હતી. તેઓ પાટણમાં હતા ત્યારે મહિનામાં એક બે વાર શંખેશ્વર જરૂર જતાં અને શંખેશ્વરમાં આવેલ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં બિરાજમાન શ્રી મહિમા પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ ભાવ વિભોર બનીને કરતાં હતા.
રવિચંદભાઈ મુંબઈના હાડમારી ભર્યા જીવનમાં પ્રવેશ્યા હોવા છતાં શ્રી મહિમા પાર્શ્વનાથ પ્રભુના જાપ વહેલી સવારે ઊઠીને કરી લેતાં અને મનોમન પ્રાર્થના કરતાં હે મહિમા પાર્શ્વ પ્રભુ ! આપના દિવ્ય દર્શનનો લાભ મને ક્યારે મળશે ?
રવિચંદભાઈએ મનમાં સંકલ્પ કર્યો હતો કે જો એક વર્ષમાં મુંબઈમાં પગભર થઈ જાઉં તો મારા પરિવારને અહીં બોલાવી લઈશ. તે પહેલાં શંખેશ્વર જઈ આવીશ.
શ્રી મહિમા પાર્શ્વનાથ પ્રભુની શ્રધ્ધાપૂર્વક કરેલી ભક્તિનું ફળ રવિચંદભાઈને છ મહિનામાંજ મળી ગયું.
વાત જાણે એવી બની હતી કે મુંબઈ આવ્યા પછી અમૂક મહિના બાદ તેઓ એક કંપનીના પરચેઝ ઓફિસરને મળવા ગયા અને જરૂરિયાતની આઈટમ માટે પૂછયું. આ કંપનીને તેના શેઠ માલ આપતા નહોતા કે કોઈ પ્રકારનો લેવડ દેવડનો
શ્રી મહિમા પાર્શ્વનાથ
૨૬૯