________________
કરાવે છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યાત્રાનો લાભ યાત્રાળુઓને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ – જિનાલયની ફરતી ભમતીમાં ઓગણએંસી દેવકુલિકામાં શ્રી પ્રગટપ્રભાવી પાર્શ્વનાથ પ્રભુજી બિરાજમાન છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ અને શ્વેત પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે. તેમજ આ પ્રતિમાજી પરિકરથી પરિવૃત્ત છે તથા સપ્તફણાથી અલંકૃત છે.
_મહિમા અપરંપાર વીરમગામની મુખ્ય બજારમાં લલિતભાઈની નાનકડી ખોલી જેવી દુકાન. આ નાનકડી દુકાનમાં બેસીને લલિતભાઈ કરિયાણાનો વેપાર કરે... લલિતભાઈના પિતા પણ આ દુકાનમાં બેસીને કરિયાણાનો વેપાર કરતાં હતા. લલિતભાઈએ જ્યારથી વેપાર સંભાળ્યો ત્યારથી દિન પ્રતિદિન વેપાર ધીમો પડવા લાગ્યો. મુખ્ય બજારમાં આધુનિક સ્ટાઈલની ત્રણચાર કરિયાણાની દુકાનો થઈ ગઈ હતી. આધુનિક દુકાનમાં દરેક વસ્તુ સરસ મજાના પેકીંગમાં મળતી. લોકો ધીરે ધીરે એ તરફ વળ્યા અને લલિતભાઈની દુકાન ધંધામાં બેસી ગઈ તેમ કહીએ તો ખોટું નથી. તેમને રોજનો સૌ-દોઢસોનો જ વેપાર થતો. આથી લલિતભાઈ ચિંતામાં પડી ગયા. તેમના દસ-પંદર ખૂબજ જૂના ગ્રાહકો હતા તે પણ પેલી નવી દુકાનમાં જવા લાગ્યા. જમાનો નવા રંગરૂપનો શરૂ થયો હતો. પ્રમાણિકતા, નિષ્ઠાનો કોણ ભાવ પૂછે?
- લલિતભાઈના પિતાજી સોમચંદભાઈને પણ ચિતાં પેઠી હતી. તેમણે
શ્રી પ્રગટપ્રભાવી પાર્શ્વનાથ
૨૭૬