________________
થોડા સમયમાં ધંધો જામી ગયો. આ દરમ્યાન બન્ને પતિ-પત્ની શંખેશ્વર ત્રણ વાર જ આવ્યા હતા. બન્ને માનતા હતા કે આ બધું શ્રી રત્નચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુની કૃપાનું ફળ છે.
સુખના દિવસો પાછા ફરેલા જોઈને મિત્રો અને સ્નેહીઓ આવવા લાગ્યા. પણ આ વખતે ન્યાલચંદભાઈએ વ્યવહારમાં ખૂબજ મર્યાદા રાખવા માંડી હતી. | ત્રણ વર્ષમાં ન્યાલચંદભાઈ સારું એવું કમાયા. તેમણે મોટો બંગલો, ગાડી વગેરે લીધા. તેમજ તેમના ઘેર પુત્ર જન્મ થયો હતો. ન્યાલચંદભાઈ અને રેવાબેન ધર્મકાર્યમાં તેમજ જરૂરતમંદ સાધર્મિકમાં સારો એવો પૈસો વાપરવા લાગ્યા.
મંત્ર આરાધના (૧) ૐ હ્રીં શ્રી રત્નચિંતામણિ પાર્શ્વનાથાય નમ: (૨) ૐ હ્રીં શ્ર હૂ શ્રી રત્નચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ | (૩) ૐ હ Ø Ø Ø રત્નચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત ત્રણેય મંત્રો પ્રભાવક છે. દરરોજ વહેલી સવારે નિશ્ચિત સમયે ઊઠીને, હાથપગ સ્વચ્છ કરીને નિશ્ચિત સ્થાન પર બેસીને, સામે શ્રી પાર્શ્વનાથ પ્રભુની છબી રાખીને, અખંડ ધૂપ દીપ કરીને જાપ આરાધના કરવી. મંત્ર આરાધનાથી જીવનમાં આવતી વિપત્તિઓનો નાશ થાય છે અને જીવન જીવવાની દિશા પ્રાપ્ત થાય છે. મંત્રજાપ અનન્ય શ્રધ્ધા સાથે કરવા જરૂરી છે.
સંપર્કઃ કરી
શ્રી રત્નચિંતામણી પાર્શ્વનાથ જૈન દેરાસર ઠે. માણેક ચોક, મુ.પો. ખંભાત. જિ. ખેડા (ગુજરાત) કરી ફોન : (૦૨૬૯૮) ૨૨૧૮૧૬, ૨૨૫૬૧૬
|
શ્રી રત્નચિંતામણિ પાર્શ્વનાથ
૨૮૬