________________
વિશેષ જાણકારી
અહીં વિવિધ પુસ્તક - પુસ્તિકામાંથી ઉદ્ધૃત કરેલી માહિતી પ્રસ્તુત છે.
આ અભિનવ તીર્થનું નિર્માણ થોડા વર્ષો પહેલાં આચાર્ય દેવ શ્રી સુબોધ સાગરસૂરીશ્વરજી મહારાજની પ્રેરણા દ્વારા થયેલ છે. જિનાલય ખૂબ જ આકર્ષક તેમજ વિશાળ છે. જિનાલયની પાસે મા ભગવતી પદ્માવતી, શ્રી ઘંટાકર્ણવીર અને શ્રી માણિભદ્રવીરના મંદિરો છે. પૂ. આ. બુધ્ધિસાગરસૂરિજી મ. સા. નું ગુરૂમંદિર છે. એક વિશાળ જ્ઞાન ભંડાર છે. આશરે ૬૦૦૦ હસ્તપ્રતો છે. ૪૫ આગમ તાડપત્રમાં છે. ભવ્ય વિશાળ ધર્મશાળા તથા ભોજનશાળા છે. અહીં ઉપાશ્રયો બે છે. યાત્રિકો આવે છે. અને વ્યવસ્થા સારી છે.
(૨) વીજાપુરમાં શ્રી સ્ફુલિંગ પાર્શ્વનાથ ભગવાનનું જિનાલય અતિ ભવ્ય છે. આ તીર્થના દર્શન અત્યંત ફળદાયી છે. આ જિનાલય અતિ ભવ્ય છે. આ તીર્થના દર્શન અત્યંત ફળદાયી છે. આ જિનાલય નવી શૈલીનું, વિશાળતાપૂર્વક, ઊંચાઈ ઉપર સુંદર રીતે બનાવાયું છે. અહીં શ્રી ઘંટાકર્ણ મહાવી૨, શ્રી માણિભદ્રવીરના સ્થાનો છે. બાજુમાં મા ભગવતી પદ્માવતી, શ્રી લક્ષ્મીદેવી, શ્રી સરસ્વતી દેવીની નયનરમ્ય પ્રતિમાજીઓ છે બાજુમાં શ્રી બુધ્ધિસાગરસૂરીજી મ. નું સ્થાનક(દાદાવાડી)નું નિર્માણ કરાયું છે. નવી રીતે નિર્માણ થયેલા આ સ્થળમાં વિવિધતા છે. દરેક પ્રતિમા અતિ સુંદર, સૌમ્ય, છટાદાર અને ભવ્ય છે.
ગુરૂ ભગવંતોએ પણ શ્રી સ્ફુલિંગ પાર્શ્વનાથનો મહિમા પોતાની રચનાઓમાં ગાયો છે.
નગર વીજાપુર મેં સ્વામી, આપ હી હૈં રાજ તે । ‘ઉવસગ્ગહરં સ્તોત્ર' મેં ભી, આપ હી હૈ છાજતે ।। જો જગત મેં ભક્તગણ કે, હૃદય-મધ્ય બિરાજતે । ઐસે ‘શ્રી સ્ફુલિંગ પાર્શ્વ' કો મૈં, ભાવ સે કરૂં વંદના ॥
શ્રી સ્ફુલિંગજી પાર્શ્વનાથ
૨૫૫