________________
દૂર થયેલા હોવાના કારણે “શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથ' નામ યથાર્થ છે.
| વિક્રમ સંવત ૧૬૩૮માં મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજ રાંદેરમાં ચાતુર્માસ અર્થે રહેલા. અહીં રહીને તેમણે શ્રીપાળ મહારાજાના રાસની રચના કરી હતી. અને અહીંજ કાળધર્મ પામેલા હતા. તેમણે વિક્રમ સંવત ૧૬૮૯માં રચેલી કૃતિ “શ્રી સૂર્યપુર ચૈત્ય પરિપાટી” માં રાંદેરના ચૈત્યોનો જુહાર્યા છે. એ સિવાય અન્ય જૈન મુનિ ભગવંતોની રચનાઓમાં શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથજી તીર્થનો ઉલ્લેખ થયો છે. શ્રી આદિનાથ નેમનાથ જૈન દેરેસરની પેઢી આ તીર્થનો વહિવટ કરે છે.
વિશેષ જાણકારી અહીં વિવિધ પુસ્તક - પુસ્તિકાઓ માંથી ઉદ્દધૃત્ત કરેલી માહિતી પ્રસ્તુત
(૧) સુરતની પાડોશમાં આવેલ રાંદેર પ્રાચીન છે. પાંચ મનોહર જિનાલયો આ ગામના જૈનોની ધર્મપ્રિયતાના સાક્ષી છે. અને પ્રાચીન તીર્થમાલા સ્તવનોમાં રાંદેરનો ઉલ્લેખ નોંધપાત્ર છે.
શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથજી ૩૦૦ વર્ષ જેટલા પ્રાચીન ગણાય છે. વિપ્નના વિંટોળનું વિસર્જન કરીને ભક્તને ભયરહિત બનાવતા આ પ્રભુજીનું ‘વિઘ્નહરા' નામ યથાર્થ છે. વિક્રમ સંવત ૧૬૩૮માં રાંદેર ચાતુર્માસ રહીને શ્રી શ્રીપાળ રાજાના રાસની રચના કરતાં કરતાં પૂ. મહોપાધ્યાય શ્રી વિનય વિજયજી મહારાજ અહીંજ સ્વર્ગવાસ પામ્યા અને તેમના સંકેત પ્રમાણે પૂ. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે બાકીનો રાસ અહીં જ પૂર્ણ કર્યો હતો.
(૨) સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના મોટા પોસીના ખાતે શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથ ભગવાનનું તીર્થ આવેલું છે. કહેવાય છે કે મોટા પોસીના ગામમાં વિક્રમની તેરમી સદીમાં અહીં એક મોટા વૃક્ષની નીચે ભૂગર્ભમાંથી આ
શ્રી નિગ્નહરા પાર્શ્વનાથ
૨૪૦