________________
તીર્થમાં આવીને શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથ પ્રભુના દર્શન, વંદન અને સેવા પૂજા કરી.
| શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથ માનવીના જીવનમાં આવતાં વિઘ્નોને હરી લે છે. તેમની ઉપાસના ફળદાયી છે.
મંત્ર આરાધના
(૧) :
3ૐ હ્રીં શ્રીં વિઘ્નહરા પાર્શ્વનાથાય નમઃ | (૨) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં વિઘ્નહરા પાર્શ્વનાથાય નમઃ | (૩) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં વિઘ્નહરા પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત ત્રણેય મંત્રો વિઘ્નો દૂર કરવા માટે અત્યંત પ્રભાવક છે. દરરોજ વહેલી સવારે નિશ્ચિત સમયે અને સ્થાન પર બેસીને, પૂર્વ દિશા તરફ મુખ રાખીને, ધૂપ તથા દીપ અખંડ રાખીને, શ્રી પાર્શ્વ પ્રભુની છબી સામે રાખીને જાપ કરવા. દરરોજ એક માળા તો અવશ્ય કરવી. મંત્ર આરાધનાથી સર્વ વિઘ્નો નષ્ટ થાય છે. સર્વ ઉપાધિઓ ટળી જાય છે. આ મંત્રો ચમત્કારિક અને અનુભવ સિધ્ધ છે.
સંપર્કઃ શ્રી આદિ નોમનાથ જૈન દેરાસર પેઢી
ઉત્તમરાય સ્ટ્રીટ, નિશાન ફળીયા પો. રાંદેર, સુરત – ૩૯૫૦૦૫ (ગુજરાત)
ફોનઃ (૦૨૬૧) ૨૭૬૦૧૪૯
શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથ
૨૪૫