________________
ભવરણે મતા ભાગ્યોદયે રણકાં પ્રભુ તું મળ્યો | રણમાં મીઠું ઝરણ પ્રભુ તું, મુજ કેરો સંસાર વળ્યો || કર્મ વિચ્છુ ડંખને પ્રભુ નિવારજો કચ્છલિકા | કચ્છલિકા' પારસના ચરણમાં તન મન ધન અર્પણ સદા.
કચ્છના રાવે કાછોલી ગામ વસાવ્યું. વતનની સ્મૃતિને ચિરંજીવ બનાવવા કચ્છલિકા નામ રાખ્યું. પ્રભુજીની પ્રતિમાજી અતિ પ્રાચીન અને દર્શનીય છે.
જયાં કચ્છના રાવે વસાવ્યું ધામ કાછોલી તણું ,
ત્યાં થાપીયા પ્રભુ પાર્શ્વને તું જ નામ કાછોલી ગણું , કાછોલી પારસ કર્મ છોલી છેડલો ભવનો કરો, “શ્રી કાછોલી' પ્રભુ પાર્શ્વને ભાવે કરૂં હું વંદના.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી કચ્છલિકા પાર્શ્વનાથ ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણ કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાત્મ અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી.
આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી
શ્રી સ્મૃલિક પાર્શ્વનાથ
૨૪૮