________________
પ્રતિમાજી પ્રગટ થઈ હતી. શ્રી કુમારપાળ મહારાજાએ મંદિરનું નિર્માણ કરાવીને આ પ્રભુની પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરાવી હતી. એવી લોકવાયકા છે. કોઈપણ સંઘ આવવાનો હોય ત્યારે મંદિરની ધજા દંડને વિટાઈને સંકેત આપે છે.
વિક્રમની સત્તરમી સદીમાં આચાર્ય વિજયદેવસૂરિજી મ. ના હસ્તે પુનઃ જીર્ણોધ્ધાર થયાનો ઉલ્લેખ છે. તારંગાજીની તળેટીમાં મોટા તેમજ નાના પોસીના બન્ને તીર્થોમાં ખૂબજ શાંતિમય વાતાવરણ છે.
ગુરૂ ભગવંતો એ પણ પોતાની રચનાઓમાં શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથ પ્રભુનો મહિમા ગાયો છે.
વિદનહારી પાર્શ્વજિન, રાંદેર-સૂરત મેં સોહતે | દેકે દર્શન નાથ યે, શ્રી સંઘ કા મન મોહતે || મુક્તિ-પદ-દાતા પ્રભુજો, કર્મ-દલ ઝુક ઝોરતે | ઐસે “શ્રી વિઘ્નહરા પાર્શ્વ’ કો મૈં, ભાવસે કરૂં વંદના || વિપ્ન હારક, શિવસુખદાયક છે અનોખા પાર્શ્વ પ્રભુ, સુરત મધ્યે, રાંદેરમાં મુજ વિપ્નહરો ને પાર્શ્વ પ્રભુ, પર દુઃખ ભંજક, નાથ નિરંજન વિજ્ઞ હરો મારા પ્રભુ, ‘વિઘ્નહરા' પારસ ના ચરણમાં તન મન ધન અર્પણ સદા.
આ પ્રભુની ભક્તિ કરવાથી ભક્તોના ભય દૂર થાય છે. આ પ્રતિમાજી ૩00 વર્ષથી વધારે પ્રાચીન છે.
જે પ્રભુના દર્શનથી સહુ આપદા દૂર થતી, ને જે પ્રભુના સ્પર્શથી, સહુ સંપદાઓ મળી જતી, વિઘ્નો હરી શિવમાર્ગના, જે મુક્તિ સુખને આપતા, ‘વિઘ્નહરા' પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથ
રજ