________________
શ્રી સોગડિયા પાર્શ્વનાથ
રાજસ્થાનના પાલી જિલ્લાના દેસૂરી તાલુકા નાડલાઈ ખાતે શ્રી સોગઠિયા પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થધામ આવેલું છે. આ તીર્થ જેઓલ પર્વતની તળેટીમાં, ઘંઘવાડીની બાજુમાં છે. અન્યત્ર આ નામના પાર્શ્વનાથ શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ-જિનાલયની ફરતી ભમતીમાં તોંતેરમી દેવકુલિકામાં બિરાજમાન છે.
આ તીર્થના દર્શનાર્થે જવા માટે રાણી રેલ્વે સ્ટેશનથી ૨૫ કિ.મી. ના અંતરે તથા ફાલના રેલ્વે સ્ટેશનથી ૪૦ કિ.મી. ના અંતરે આ તીર્થ આવેલું છે. અહીં સાત જિનાલયો છે. ગામમાં બે અને ટેકરી પર બે જિનાલયો છે. અહીંથી નાડોલ તીર્થ નજીક છે.
આ તીર્થભૂમિ પર શાસન પ્રભાવક આચાર્યોની પધરામણી થઈ છે. કારતકી પુનમ અને ચૈત્રી પુનમના દિવસે અહીં મેળો ભરાય છે. ધર્મશાળાભોજનશાળાની સુંદર વ્યવસ્થા છે.
નાડલાઈ નગરમાં શ્રી સોગઠિયા પાર્શ્વનાથ પ્રભુ કલાત્મક પરિકર સાથે દીપી રહ્યાં છે. ભવ્ય શિખરબંધી જિનાલયના મૂળનાયક રૂપે શ્રી સોગઠિયા પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન છે. શ્વેત પાષાણની, પાંચફણાથી વિભૂષિત, પદ્માસનસ્થ આ પ્રતિમાજીની ઊંચાઈ ૨૭ ઈંચ અને પહોળાઈ ૨૩ ઈંચની છે.
નાડલાઈના અનેક પ્રાચીન નામો રહ્યાં હતા. જેમાં નાડુલાઈ, નારદપુરી, નંદકુલવતી, વલ્લભપુર કેનડુડાલિકા નામો હતા પણ આજે આ નગરનાડલાઈ તરીકે ઓળખાય છે.
- ઈતિહાસના કથન અનુસાર આ નગર નારદે વસાવેલું. તેથી નારદપુરી નામ હતું. અહીંના પર્વત પર શ્રીકૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્નકુમારે ભવ્ય શિખરબંધી જિનાલયનું નિર્માણ કરાવેલું અને તેમાં શ્રી નેમિનાથ પ્રભુની દિવ્ય પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરાવી હતી. આમ આ નગર અતિ પ્રાચીન હોવાનું માનવામાં આવે
શ્રી સોગઠિયા પાર્શ્વનાથ
૨૩૨