________________
નામથી પ્રસિધ્ધ છે. અહીં વિક્રમસંવત ૧૬૦૭માં શ્રી હરિ વિજયસૂરિજીને પંન્યાસ તથા ઉપાધ્યાય પદથી વિભૂષિત કરવામાં આવ્યા હતા. જેનલ પર્વતના મૂળમાં શ્રી સોગઠિયા પાર્શ્વનાથ પ્રભુનું ભવ્ય શિખરબંધ જિનાલય આવેલું છે. આ જિનપ્રાસાદનું સ્થાપત્ય દશમાં સૈકાનું જણાય છે..
(૨) નાડલાઈ ગામની બહાર, પર્વતો ઉપર અને તળેટીમાં, અહીં બધા મળીને દસેક દેરાસરો (પર્વત પર બે, તળેટીમાં સાત અને ગામમાં એક) છે. બે પર્વતો ઉપર ગિરનાર અને શત્રુંજય તીર્થની રચનાઓ છે. શ્રી નેમિનાથ ભગવાનનું જિનાલય શ્રી નારદજીએ વસાવેલા આ ગામમાં શ્રીકૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્નકુમારે કરાવેલ છે. ગામમાં આવેલ શ્રી આદિનાથ ભગવાનનું મંદિર વિક્રમ સંવત ૯૫૦માં શ્રી યશોભદ્રસૂરિજી મહારાજે પોતાની વિદ્યાશક્તિથી વલ્લીપુરથી લાવ્યા હોવાનું બતાવાય છે. યાદવ ટેકરી તેમજ શત્રુંજય ટેકરી વચ્ચેના પહાડોનું, દેરાસરોનું સૌદર્ય ખૂબ જ સુંદર છે. ગામમાં શ્રી આદિનાથ ભગવાનના મંદિરમાં વિશાળ રંગમંડપમાં ચિત્રકામ પ્રાચીન હોવા છતાં અત્યંત સુંદર છે. ડુંગર ઉપર એક હાથીની પ્રતિમાજી છે. ગામમાં રહેવા અને જમવાની સગવડો છે. આ સ્થળ અત્યંત પ્રાચીન અને સુંદર છે. રાણી ૨૮ કિ.મી., ફાલના ૪૦ કિ.મી. દેસુરી ૬ કિ.મી., ધાણરાવ ૧૩ કિ.મી. દૂર છે. બન્ને પહાડો ઉપર જતાં આવતાં દોઢેક કલાકનો સમય લાગે છે. ચઢાણ કઢિન નથી. પગથિયાં બનાવેલાં છે. જેનલ પર્વતના મૂળમાં શ્રી સોગઠિયા પાર્શ્વનાથ પ્રભુનું શિખરબંધી જિનાલય આવેલું છે.
શ્રી સોગઠિયા પાર્શ્વનાથ પ્રભુ વિષે ગુરૂ ભગવંતોએ મહિમા ગાન કર્યું છે.
ચાર ગતિ સે જો જગતકો, નિત્ય સત્વર તારતે / ભૂમિ સે પ્રકટે જો સ્વામી, મતિ હમારી સુધારતે || હો દયાલુ પરમ જિનવર, કષાય મેરે મારતે | ઐસે શ્રી સોગઠિયા પાર્થ કો મૈં ભાવસે કરું વંદના ||
શ્રી સોગઠિયા પાર્શ્વનાથ
૨૩૪