________________
ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પદ્મ સરોવરની સ્મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યત્રાનો લાભ યાત્રાળુઓને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલયની ફરતી ભમતીમાં અડસઠમી
દેવકુલિકામાં શ્રી ભુવન પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ, શ્યામ પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે. આ પ્રતિમાજી સપ્તફણાથી અલંકૃત્ત છે. તેમજ પરિકરથી પરિવૃત્ત છે.
મહિમા અપરંપાર માંડવી (કચ્છ) માં ધરમશીભાઈ શાહને પ્રોવિઝન સ્ટોર્સ હતો. આ પરિવાર ખાધેપીધે સુખી હતો. વેપાર ગામના પ્રમાણમાં સારો ચાલતો હતો. ધરમશીભાઈ અવારનવાર વાંકી, બોંતેરે જીનાલય વગેરે તીર્થોમાં દર્શનાર્થે જતા હતા. ધમરશીભાઈ સ્વભાવે વિનયી અને વિવેકી હતા.
એકવાર તેમની દુકાન પર માંડવીની પોલીસ આવી ચડી. પોલીસ ઈન્સ્પેક્ટરે ધરમશીભાઈને કહ્યું : “ધરમશીભાઈ તમે જ છો?'
હા...બોલો શું કામ છે?' | ‘તમારે અત્યારે અમારી સાથે પોલીસ સ્ટેશન આવવું પડશે.” ‘પણ મારો વાંક-ગુન્હો શું છે?” ધરમશીભાઈ બોલ્યા.
એ બધું પોલીસ સ્ટેશન પર જણાવવામાં આવશે. તમે અમારી સાથે ચાલો...” gી ધરમશીભાઈએ પોતાના મોટા પુત્રને થડાં પર બેસવાનું કહીને પોલીસ
શ્રી ભુવન પાર્શ્વનાથ
૨૦૦